બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / two ahmedabadis feed stray animals around the city amid coronavirus lockdown
Shalin
Last Updated: 08:03 PM, 8 April 2020
અમદાવાદના ચિંતન અને દેવયાની કહે છે કે જયારે લોકડાઉન ની જાહેરાત થઇ ત્યારે સૌપ્રથમ તેમને એવી ચિંતા થઇ કે હવે શહેરમાં પ્રાણીઓને ખોરાકની શું વ્યવસ્થા થશે. શહેરમાં ચોક્કસ વિસ્તાર વગર આમ તેમ રખડતા કૂતરા, બિલાડી, ગાયો અને વાંદરાઓને ભોજન કોણ આપશે તે મહત્વનો સવાલ હતો. કારણ કે આ જીવો લોકોએ નાખેલી ચીજવસ્તુઓ અને રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડની લારીઓની વધેલી ચીજવસ્તુઓ ઉપર ખાવા અને પાણી પીવા માટે નભે છે.
આ માટે બંનેએ નક્કી કર્યું કે તેઓ દરરોજ બહાર નીકળીને વધુમાં વધુ પ્રાણીઓને ખાવાપીવાનું આપશે. તેઓ કહે છે કે તેઓ કોઈ ઓર્ગેનાઈઝેશનના ભાગ નથી. તેઓ માત્ર બે માણસો છે જેમને કૂતરા ખૂબ વ્હાલા છે અને જીવ દયાને તેઓ ખૂબ મહત્વ આપે છે. આ વિચાર તેમણે તેમના મિત્રોને કહ્યો અને આ માટેનું જરૂરી ફંડ આપવા માટે સૌ કોઈ તૈયાર થઇ ગયા કે જેથી પ્રાણીઓ માટે ખાવાપીવાની ચીજવસ્તુઓ ખરીદી શકાય.
લોકડાઉન ના બીજા દિવસથી તેમણે તેમની ગાડીમાં આ ખાવા પીવાની ચીજ વસ્તુઓ ઠાંસી દીધી અને તેમણે તેમના વિસ્તારના આશરે ૭૦ કૂતરાઓને ખાવાની ચીજવસ્તુઓ આપવાની શરૂઆત કરી. બીજા દિવસથી તેઓ શહેરના દૂરના વિસ્તારોમાં અને રહેઠાણના વિસ્તારોમાં જવા માંડ્યા અને ત્યાં રહેતા નાના ગલુડિયાઓ, ઘરડા કૂતરાઓ અને ઈજાગ્રસ્ત કૂતરાઓને ખવડાવવાનું શરુ કર્યું. છેલ્લા થોડા દિવસોમાં તેમણે ભાત, બિસ્કીટ, ફ્રુટ, દૂધ, ડોગ ફૂડ જેવી વસ્તુઓ ૪૦૦થી વધુ કૂતરાઓને, ૫૦ જેટલા વાંદરાઓને અને ઘણી બધી ગાયોને ખવરાવી છે.
તેઓ કહે છે કે કેટલાક લોકોને આ ખૂબ સામાન્ય લાગશે પણ આ અબુધ પ્રાણીઓ જયારે ભોજન કરતા કરતા પૂંછડી પટપટાવવા માંડે છે અને પોતાનો આનંદ અને સંતોષ વ્યક્ત કરે છે ત્યારે ખૂબ સંતોષ મળે છે. પોલીસ મુદ્દે વાત કરતા તેઓ જણાવે છે કે અત્યારે સુધી પોલીસે તેમને ખૂબ સારો સહયોગ આપ્યો છે અને તેમને પ્રેરિત કરીને કહ્યું છે કે એમને ખવરાવવું ખૂબ જરૂરી છે કારણ કે આ સમયમાં તેઓને ખાવાનું આપનાર કોઈ જ નથી. થોડા દિવસ પહેલા એક વિસ્તારમાં ફરી એક વખત ખાવાનું આપવા નીકળેલા ચિંતન અને દેવયાનીને તે વિસ્તારના પોલીસ કર્મચારીએ સસ્મિત હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. તેઓ કહે છે કે આ ખૂબ ખુશીની ક્ષણ હતી.
અમદાવાદ શહેર હંમેશા કમનસીબ લોકો અને મૂંગા જાનવરોની વ્યથા માટે દયાભાવના રાખે છે. એક જીવદયા પ્રેમી હોવાને પગલે તેમને ખુશી છે કે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રાણીઓને ખાવાપીવાની ચીજવસ્તુઓ નાખવા અંગેના વોટ્સએપ ગ્રુપ્સ ચાલે છે.
આ એક ગૌરવની વાત છે કે જયારે માનવીએ તેના મૂંગા ચોપગા મિત્રોની મદદ કરવાની ઘડી આવી છે ત્યારે અમદાવાદ શહેર તેમાં પાછું હટ્યું નથી.
આ બંને સમાજને ફક્ત એક જ સંદેશ આપવા માંગે છે: દયાળુ બનો; સમગ્ર વિશ્વને હાલ દયા અને કરુણાની તાતી જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો