બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 09:40 AM, 11 August 2023
અનેક લોકોના શરીરમાં લોહીની ઊણપ હોય છે. ભારતમાં અડધાથી વધુ મહિલાઓ લોહીની ઊણપથી પીડાઈ રહ્યા છે. શરીરમાં લોહીની ઊણપ હોય તો શરીરમાં અનેક બિમારીઓ ઘર કરી જાય છે. હીમોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે, જે લાલ રક્ત કોશિકાઓમાં રહેલું હોય છે. જે શરીરના તમામ અંગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે.
લોહીમાં હીમોગ્લોબિનની ઊણપ હોય તો તેની સીધી અસર ઓક્સિજનના સપ્લાય પર પડે છે અને શરીરના તમામ અંગોમાં ઓક્સિજન પહોંચી શકતું નથી. પુરુષોમાં સરેરાશ પ્રતિ 100 મિલીલીટરમાં 13.5થી 17.5 ગ્રામ હીમોગ્લોબિનની અને મહિલાઓને પ્રતિ 100 મિલીલીટરમાં 12 થી 15.5 ગ્રામ હીમોગ્લોબિનની જરૂર હોય છે.
હીમોગ્લોબિનની ઊણપ થાય તો આયર્નયુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ. કેળા, પાલક, બીંસ, કોબીજ, મસૂરની દાળ, ટોફૂ, સાબુત અનાજ અને દાળમાં સૌથી વધુ આયર્ન હોય છે.
આયર્નના અવશોષણ માટે વિટામીન સી યોગ્ય પ્રમાણમાં હોવું જરૂરી હોય છે. વિટામીન સી યુક્ત ભોજનનું સેવન કરવાથી આયર્નનું અવશોષણ થાય છે. સાઈટ્રસ ફ્રૂટ, સ્ટ્રોબેરી, લીંબુ, સંતરા અને લીલા શાકભાજીમાં વિટામીન સીનું પ્રમાણ વધુ હોય છે.
કિશમિશ, ખજૂર, જરદાલુ જેવા ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી લોહીની ઊણપ દૂર થાય છે. ફોલેટ વિટામીન બી9નું પ્રાકૃતિક રૂપ છે, જે હીમોગ્લોબિન માટે ખૂબ જ જરૂરી છે. શરીરમાં ફોલેટની વૃદ્ધિ કરવા માટે પાલક, લીલા વટાણા, એવોકાડો, મસૂરની દાળ, રાજમાનું સેવન કરવું જોઈએ. ઈંડા દૂધ, મટન, માછલીસ બીન્સ અને દાળનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ