બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The bridge connecting Bharuch-Ankleshwar has become a 'suicide point': 25 to 30 people have jumped to their deaths in the last 3 years.
Priyakant
Last Updated: 04:00 PM, 10 October 2023
Narmada Maia Bridge : ભરૂચ અને અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ લોકો માટે સુસાઇડ પોઇન્ટ બન્યો હોવાની સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, આ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લા 20 દિવસમાં ચાર જેટલા લોકોએ પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીનો સ્થાનિક માછીમારો અને સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકી દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. જોકે 4 લોકો પૈકી હજુ પણ 2 લોકોના મૃતદેહ હજી સુધી મળ્યા નથી.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ 2021 માં લોકોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 2021થી લઈને 2023 સુધીમાં આ બ્રિજ ઉપરથી 25 થી 30 જેટલા લોકોએ નર્મદા નદીમાં છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું. જેમાં કેટલાક લોકોના જીવ ગયા હતા અને કેટલાક લોકોનો બચાવ પણ થયો હતો જ્યારે કેટલાક લોકોની હજી સુધી ડેડબોડી પણ મળી નથી.
શું કહેવું છે સ્મશાન સંચાલકનું ?
સ્થાનિક સ્મશાન સંચાલક ધર્મેશભાઈના જણાવ્યા મુજબ 2021થી લઈને 2023 સુધીમાં 25 થી 30 જેટલા લોકોએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં પડતું મૂક્યું હતું. જેમાં કેટલાક કિસ્સાઓ તો ધર્મેશભાઈ સોલંકી એ પોતાની નજરે જોયા હતા. જ્યારે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે ધર્મેશભાઈ સોલંકી અને સ્થાનિક માછીમારો દ્વારા નર્મદા નદીમાં લોકો દ્વારા મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક અને માછીમારોની સુજના લીધે આઠથી નવ લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા.
ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર જ્યારે જ્યારે પણ લોકો નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પડતું મૂકે છે ત્યારે ખાસ કરીને પ્રેમમાં નાસી પાસ થયેલ યુવક યુવતીઓ, ઘર કંકાસને લઈને મહિલાઓ અને પુરુષો અને બેરોજગારીને લઈને યુવકો દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપર આવીને મોતનો કૂદકો લગાવી સુસાઇડ કરતા હોય છે.
પ્રોટેક્શન નેટની માંગ પણ તંત્ર ઘોર નિંદ્રામાં
આ ઘટનાઓ નજરે જોનાર ધર્મેશ સોલંકી દ્વારા અવારનવાર મીડિયામાં સ્થાનિક તંત્રમાં માંગ કરી હતી કે, નર્મદા મૈયા બ્રિજની બંને તરફ પ્રોટેક્શન નેટ લગાવવામાં આવે તો સુસાઇડ કરનારા લોકોના જીવ બચાવી શકાય છે અને તેઓને ફરીથી હિંમત આપીને જીવન જીવતા શીખાવી શકાય છે. પરંતુ આજ દિન સુધી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની બંને તરફ પ્રોટેક્શન નેટ લગાવવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ