બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'રાજકારણ શીખવું હોય તો રાવણ પાસેથી શીખજો...' રબારી સમાજના સંમેલનમાં ઠાકરશી રબારીનું નિવેદન
Last Updated: 08:24 PM, 15 November 2024
બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન 13 નવેમ્બર થઈ ચુક્યું છે અને હવે 23 નવેમ્બરે મતગણતરી છે. પરંતુ ચૂંટણી પ્રચાર પત્યા પછી પણ નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે. બનાસકાંઠામાં રબારી સમાજના સંમેલનમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ સત્તાની ચાલ રાવણ પાસે શીખવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજકારણ શીખવું હોય તો રાવણનું શીખજો: ઠાકરશી રબારી
ધાનેરા ખાતે આયોજિત રબારી સમાજના સંમેલનમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ રાવણ પાસે રાજકારણ શીખવાની અપીલ કરી હતી. તેમણે ક્હ્યં કે, 'જો રાવણે વિભીષણને રામ પાસે ન મોકલ્યો હોત તો લંકાની ગાદી પર રામ રાજ કરતા હોત. રાવણની રાજનીતિ હતી કે મારા મોત બાદ લંકાની ગાદી પર વિભીષણ બેસે.સત્તાની વાત આવે તો બધા રાવણની જેમ વિચારજો. સત્તાની વાત આવે તો બધી જગ્યાએ આપણી જગ્યાએ બીજો રબારી સેટ કરી દેજો''
ADVERTISEMENT
આ પણ વાંચો: વધુ એક હોસ્પિટલ વિવાદમાં, મહિલાના હૃદયને બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યાનો આક્ષેપ

ADVERTISEMENT
રબારી સમાજના સંમેલનમાં ઠાકરશી રબારીની શીખામણ
ધાનેરા ખાતે રબારી સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમૂહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે શૈક્ષણિક સંકુલ માટે 13 કરોડ રૂપિયાનું દાન પણ આવ્યું છે. જે કાર્યક્રમના મંચ પરથી ઠાકરશી રબારીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાજકારણમાં રહેવું હોય તો રાવણની રાજનીતિ સમજવી જોઈએ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.