બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વધુ એક હોસ્પિટલ વિવાદમાં, મહિલાના હૃદયને બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યાનો આક્ષેપ
Last Updated: 06:13 PM, 15 November 2024
રાજ્યમાં ખ્યાતિ કાંડ બાદ એક બાદ એક હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. હવે જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. વેરાવળની મહિલા આયુષ હોસ્પિટલમાં હૃદયની સારવાર માટે આવી હતી. પરંતુ હોસ્પિટલના ડૉક્ટર્સ દ્વારા હૃદયને બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યાનો દર્દીના પરિવારે આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT

જૂનાગઢની આયુષ હોસ્પિટલ આવી વિવાદમાં
ADVERTISEMENT
મગજના ઓપરેશન બાદ મહિલાની હાલત અત્યંત ગંભીર છે. મહિલા કોમામાં સરી પડતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતા હોસ્પિટલ મેનેજમેન્ટે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.. હોસ્પિટલ દ્વારા ઓપરેશન ચાર્જ ન લેવાનું કહી મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ પોતાની બેદરકારી છૂપાવવા દર્દીનિા પરિવાર માટે રહેવા જમવાની પણ સુવિધા કરી આપી હતી. જોકે 24 કલાકથી મહિલાને ICUમાં રાખવા છતાં ડૉક્ટર્સ દર્દીની સ્થિતિ અંગે જણાવતા ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત, સર્જરીના ત્રીજા જ દિવસે જીવ ગયો
ADVERTISEMENT

દર્દીના પુત્રએ શું કહ્યું ?
ADVERTISEMENT
દર્દીના પુત્ર રમેશભાઈ સોલંકીએ જણાવ્યું કે, અમે મારી મમ્મીની હર્દયની બિમારી હતી જેને લઈ હોસ્પિટલ આવ્યા હતા. અહીં એક ઈન્જકેશન આપ્યું અને જેના પછી આડઅસર કે અન્ય કોઈ કારણોસર ડોક્ટરે કહ્યું કે, મગજનો આપરેશન કરવું પડશે તાત્કાલિક નિર્ણય લેવો પડશે. જેના પગલે તેમણે હાર્ટના બદલે મગજનો ઓપરેશન કરી દીધું છે અને હવે મમ્મી ICUમાં છે અને કઈ બોલતા જ નથી. આ હોસ્પિટલમાં સંપૂર્ણ બેદરકારી છે. અહીં કોઈનો પોઝિટીવ જવાબ પણ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.