બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત, સર્જરીના ત્રીજા જ દિવસે જીવ ગયો
Last Updated: 05:04 PM, 15 November 2024
ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કૌભાંડી કરતૂતોના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના લેભાગુ તબીબોના વાંકે ગાંધીનગરના શેરથા ગામના વ્યક્તિનું મોત થયું છે.
ADVERTISEMENT
હત્યારી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત
હત્યારી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત થયું છે. ખ્યાતિ હોસ્પિટલના લેભાગુ તબીબોના વાંકે ગાંધીનગરના શેરથા ગામના વ્યક્તિનું દુ:ખદ મોત થયું છે. હોસ્પિટલની બેદરકારીને કારણે કનુભાઇ પટેલનું ઓપરેશનના ત્રીજા દિવસે મોત નીપજ્યું થતાં ફરી એકવાર ખ્યાતિ હોસ્પિટલ પર આક્રોશ વ્યાપ્યો છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2022માં ખ્યાતિ હોસ્પિટલે સરકારી યોજનાના પૈસા પડાવવા ફ્રી કેમ્પ કર્યાનો ખુલાસો થયો છે. 2022માં 17 લોકોને હોસ્પિટલ લાવી 7 સ્વસ્થ લોકોને સ્ટેન્ટ લગાવી દેવાયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: શામળાજીના છેલ્લા દર્શન! નેશનલ હાઈવેના પુલ પરથી કાર ખાબકતાં પડીકું વળી, 4ના કમકમાટી ભર્યા મોત

ADVERTISEMENT
કડીના બોરીસણા ગામના 2 લોકોના પણ જીવ ગયા
વર્તમાનામાં ચર્ચામાં આવેલી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા હતા. તો અન્ય 5 ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. PM-JAY યોજના કાર્ડ હેઠળ મસમોટી ફાઇલ પાસ કરવા ખોટા ઓપરેશન કરી નાખી રાક્ષસ તબીબો તો ગાયબ થઇ ગયા પરંતુ હોસ્પિટલના ડાયરેક્ટર્સ પણ ગાયબ થઇ ગયા. જો જેના પગલે કાર્યવાહીનો દોર પણ સરકારે શરૂ કર્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.