બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શામળાજીના છેલ્લા દર્શન! નેશનલ હાઈવેના પુલ પરથી કાર ખાબકતાં પડીકું વળી, 4ના કમકમાટી ભર્યા મોત
Last Updated: 03:02 PM, 15 November 2024
દેવ દિવાળીના દિવસે ભક્તો મોટી માત્રમાં ભગવાનના દર્શન કરવા જતા હોય છે. ત્યારે આજ રોજ એક પરિવારને દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. જેમાં અરવલ્લીના મોડાસાના ગળાદર પાસે પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી.
ADVERTISEMENT
નીચે ખાબકતા કારનો કુરચો બની ગયો હતો. તથા પરિવારના તમામ સભ્યોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા ટીંટોઇ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચો: ન કોઈ ફોન આવ્યો ન OTP...મધરાત્રે વેપારીના ખાતામાં ઉપડી ગયા 30 લાખ, આવા ફ્રોડથી બચજો
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈ-વે પર થયેલ દુર્ઘટનામાં શામળાજી મંદિર દર્શન કરીને પરિવાર પરત ફરતો હતો. જેમાં નેશનલ હાઈ-વેના પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી. ગાડીમાં બેઠેલા એક મહિલા, બે પુરૂષ અને એક બાળકનું ઘટનામાં મૃત્યુ થયું હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.