બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 10:56 PM, 14 April 2023
Surya Grahan 2023: 20 એપ્રિલના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ મેષ અને અશ્વિની નક્ષત્રમાં થઈ રહ્યું છે, જેના કારણે કેટલીક રાશિઓ પર તેની સારી અસર પડશે અને કેટલીક રાશિઓ પર ખરાબ. વાસ્તવમાં મંગળ મિથુન રાશિમાં અને બુધ મેષ રાશિમાં હોવાથી અશુભ યોગો બની રહ્યા છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ મેષ રાશિનો સ્વામી છે અને મિથુન રાશિનો સ્વામી બુધ છે. બીજી તરફ, સૂર્યગ્રહણ સમયે, સૂર્ય રાહુ અને બુધ સાથે તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં હશે. બુધ મેષ રાશિમાં અને મંગળ મિથુન રાશિમાં હોવાથી રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. મેષ રાશિના લોકોને આ રાશિ પરિવર્તનનું અત્યંત અશુભ પરિણામ મળી શકે છે.
આ રાશિના જાતકોને રહેવુ સાવધાન
જ્યોતિષ અનુસાર, સૂર્યગ્રહણની અસરને કારણે મેષ રાશિના લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કારણ કે આ ગ્રહ મેષ રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે, તેથી તે લોકો પર તેની સૌથી ખરાબ અસર પડશે. આવા લોકો કાયદાકીય મામલાઓમાં ફસાઈ શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. સંબંધોમાં સમસ્યા આવી શકે છે.
જ્યોતિષ જણાવે છે કે મેષ રાશિના લોકો શરીર અને મનથી મજબૂત હોય છે. તેમનો સ્વામી મંગળ છે અને મંગળના પ્રભાવથી શરીરને મજબૂત બનાવવાની સાથે તેમનો આત્મવિશ્વાસ પણ વધારે છે. જો કે તેઓ ક્રોધી સ્વભાવના પણ હોય છે, પરંતુ તેમનો ગુસ્સો દૂધના ઉકળવા જેવો હોય છે. તેઓ થોડા સમયમાં સ્વસ્થ થઈ જાય છે. તેઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાને બદલે તેને દબાવી દે છે.પરંતુ સૂર્યગ્રહણની અસરથી મેષ રાશિના લોકોનો આત્મવિશ્વાસ નબળો પડી જશે. ચંદ્ર પણ આઠમા ભાવમાં બેસશે, આ સૂર્યગ્રહણના પ્રભાવથી તેમનો આત્મવિશ્વાસ નબળો પડતો જશે, તેમની નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થવા લાગશે.
જ્યોતિષ વધુમાં જણાવે છે કે તમામ સેના પ્રમુખ મંગળના પ્રભાવને કારણે જ આટલા મોટા અને સંવેદનશીલ પદ પર બેસી શકે છે. ઉદાહરણ તરીકે, ધારો કે લશ્કરનો વડા નબળો પડી જાય અને તે લડવાને બદલે પીછેહઠ કરવા માંડે. જો તે સમયે તે યોગ્ય પગલાં લઈ શકશે નહીં, તો યુદ્ધમાં વિજય પહેલાં હાર થશે. તેવી જ રીતે સૂર્યગ્રહણની અસરને કારણે મેષ રાશિના લોકોની નિર્ણય લેવાની ક્ષમતા નબળી રહેશે. આ સિવાય તેમને આગથી સાવધાની રાખવી પડશે. રસ્તા પર ચાલતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે વાહન અકસ્માતનો ભય રહે છે. જે લોકોને પેટ સંબંધિત બીમારીઓ હોય છે, તે તબિયતનું ધ્યાન રાખવું જોઇએ.
ગ્રહણના પ્રભાવથી રહો સાવધાન
જ્યોતિષ મુજબ, આ સૂર્યગ્રહણની અસરને કારણે મેષ રાશિના લોકોને તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રની અસર પણ આવા લોકો માટે ખરાબ હોઈ શકે છે.પુરુષોને પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે, તેથી બેદરકારી ન રાખો. મેષ રાશિના જાતકોએ બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લગાવવાની જરૂર છે. જો તમે કોઈપણ રોકાણ વિશે વિચારી રહ્યા છો, તો તે હમણાં ન કરો. રસ્તા પર વાહન ચલાવતી વખતે આલ્કોહોલનું સેવન ટાળો.
આ રીતે પ્રભાવથી બચો
હનુમાનજીની પૂજા કરવી, લાલ મુખવાળા વાંદરાઓને ભોજન આપવું અને ગ્રહણના સમયગાળા દરમિયાન હનુમાનજીની ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવાથી સૂર્યગ્રહણની અસરથી રાહત મળી શકે છે. સૂર્યગ્રહણના સમયે બિલકુલ બહાર ન નીકળવું અને ભાગવતનો પાઠ પણ કરવો.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime