બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / Shocking explanation about Diabetes: Not only sugar but also eating salt can increase the risk
Kishor
Last Updated: 10:31 PM, 4 November 2023
આજના યુવાનોની લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની આદતો સતત બદલાઈ રહી છે. જેની અસર સ્વાસ્થય પર પડી રહી છે. અત્યારે મોટાભાગના ઘરોમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાયરોડ જેવી બિમારીઓ જોવા મળી રહી છે. ત્યારે ડાયાબિટીશને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે..કહેવાય છે કે ડાયાબિટીસનો ખતરો માત્ર ખાંડ ખાવાથી જ નહીં પણ મીઠું ખાવાથી પણ ડાયાબિટીસનો ખતરો વધી શકે એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે જે મીઠાનો ઉપયોગ કરી રહ્યાં છીએ તે સ્વાદ તો વધારે જ છે પણ તે આપણા સ્વાસ્થયને ખુબ જ નુકસાન કરે છે. જેથી વધારે પડતું મીઠુ ખાવાથી પણ તમને ડાયાબિટીસ થઈ શકે છે.
સ્ટડીમાં શું સામે આવ્યું?
ટ્યુલેન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ખોરાકમાં વધારે પડતા મીઠાનો વારંવાર ઉપયોગ કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ રહે છે. અભ્યાસમાં બ્રિટનમાં 4,00,000થી વધુ પુખ્ત વયના લોકો પર તેમની મીઠાની આદતો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વને પાંચ અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી હતી.. આ અભ્યાસ મેયો ક્લિનિક પ્રોસિડિંગ્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.
મીઠું કેવી રીતે ડાયાબિટીસનું કારણ બની શકે?
જો કે અભ્યાસમાં એ સામે આવ્યું નથી કે કેવી રીતે મીઠુ ઉમેરવાથી આપણે ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો રહે છે.. સંશોધકોના મત અનુસાર મીઠું ઉમેરવાથી લોકો વધુ ખોરાક ખાવા માટે આકર્ષાઈ છે.. જેથી સ્થુળતા અને સોજા વધી શકે છે.. જે ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.
નમકનું સેવન ઓછુ કરો
નમકથી થતા ગંભીર નુકસાન અંગે જાણ્યા પછી હવે જો તમે તમારા આહારમાં નમકનું પ્રમાણ ઓછું કરવા માંગો હોવ તો તમે કેટલીક પદ્ધતિઓ અપનાવીને નમકનું પ્રમાણ ઓછુ કરી શકો છો.. જેમ કે તમે નમક કે સોયા સોસ જેવા સોડિયમ-પેક્ડ સીઝનીંગના બદલે તમે હર્બ્સ અથવા લીંબુનો વિકલ્પ પસંદ કરી શકો છો.. આ નાનકડો ફેરફાર જેમ કે મીઠું અથવા સોયા સોસને બદલે જડીબુટ્ટીઓ અને લીંબુનો રસ જેવા વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. આ નાનકડો એવો ફેરફાર કરવાથી સ્વાસ્થને ઘણા ફાયદા થઈ શકે છે..
નમક ખાવાથી નુકસાન શું થાય છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh