બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Pravin
Last Updated: 04:20 PM, 28 June 2022
શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જીનિયરીંગ, કંસ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે. કંપનીનો બિઝનેસ લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે. તેમના દિકરા સાઈરસ મિસ્ત્રી એક સમયે ટાટા સંસના ચેરમેન હતા, જો કે, વિવાદ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા 150 વર્ષોથી કામ કરી રહી છે. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટા સિવિલિયન એવોર્ડ છે.
પાલોનજી મિસ્ત્રીના બે દિકરા છે, જેમનું નામ શાપૂરજી મિસ્ત્રી અને સાઈરસ મિસ્ત્રી છે. શાપૂરજી મિસ્ત્રી હાલના સમયમાં એસપી ગ્રુપના ચેરમેન છે. તેમના નાના દિકરા સાઈરસ મિસ્ત્રી વર્ષ 2012-2016ની વચ્ચે ટાટા સંસના ચેરમેન હતા. વિવાદ થતાં તેમને બોર્ડમાં કાઢી નાખવામાં આવ્યા હતા. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. તેમનો જન્મ ગુજરાતમાં પારસી ફેમિલીમાં થયો હતો. અને તેમનું નિધન મુંબઈમાં થયું છે.
આયરલેંડના સૌથી અમીર વ્યક્તિ
પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં થયો હતો. તે સૌથી અમીર આયરિશ હતા. એક રિપોર્ટ અનુસાર જેમની કુલ સંપત્તિ 28.9 બિલિયન ડોલર છે અને તે દુનિયાના 41માં સૌથી અમીર વ્યક્તિ છે. તે આયરલેન્ડના સૌથી અમીર વ્યક્તિ હતા.
ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી
શાપૂરજી પાલોનજી ગ્રુપ પાસે ટાટા સન્સની મોટી જવાબદારી છે. SP ગ્રુપ પાસે ટાટા સંસમાં 108.37 ટકા ભાગીદારી છે. તેમણે સાઈરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન પણ બનાવ્યા હતા, પણ બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલો કોર્ટમાં જઈને સેટલ થયો હતો. ત્યાર બાદ પોતાની ભાગીદારી વેચવા માગતા હતા. આ મામલે બે કોર્પોરેટ ગ્રુપ આમને સામને આવી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT