બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / sanjeev jeeva died in lucknow court, he was the accused for Brahm Dutt Dwivedi murder
Vaidehi
Last Updated: 06:36 PM, 7 June 2023
લખનઉ કોર્ટમાં સંજીવ જીમાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. સંજીવ જીવા માફિયા મુખ્તાર અંસારીનો નજીકી માનવામાં આવતો હતો અને જીવા UPનાં પૂર્વ ઊર્જા મંત્રી અને BJPનાં નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપી પણ હતો. સૂત્રો અનુસાર હુમલાખોર વકીલનાં કપડાંમાં આવ્યો હતો અને કોર્ટની અંદર જ શૂટઆઉટ કર્યું. તો આવો જાણીએ કે કોણ હતાં બ્રહ્મદત્ત દ્વિવેદી કે જેમની હત્યાનો આરોપ સંજીવ જીવાનાં માથે હતો?
બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યા
1997માં જ્યારે ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન હતું.એ સમયે રાજ્યમાં કોઈપણ રાજનૈતિક દળ પાવરમાં નહોતું. ત્યારે એક ભાજપ નેતા બ્રહ્મદત્ત જે બસપાની માયાવતીની સાથે સમીકરણો સુધારીને ગઠબંધન સરકાર બનાવવાનાં પ્રયત્નો કરી રહ્યાં હતાં. પરંતુ 10 ફેબ્રુઆરી 1997નાં આ નેતાનું મર્ડર કરી દેવામાં આવ્યું. વર્ષ 1997ની 10 ફેબ્રુઆરીનાં રોજ એક કાર્યક્રમમાં શામેલ થવા માટે દ્વિવેદી કારમાં જઈ રહ્યાં હતાં. તે સમયે બાઈકમાં સવાર વ્યક્તિઓએ ગાડી પર ફાયરિંગ શરૂ કરી દીધી અને બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યા કરી દેવામાં આવી. દ્વિવેદી મર્ડરનાં કેસમાં પરિવારે 4 લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી. સંજીવ જીવા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો એક આરોપી હતો.
દ્વિવેદીએ માયાવતીનો કર્યો હતો બચાવ
જૂન 1995માં બસપાની માયાવતી એક દુર્ઘટનાનો શિકાર બનવાની હતી. તે સમયે ભાજપ વિધાયક-પૂર્વ મંત્રી બ્રહ્મદત્ત દ્વિવેદીએ તેમને બચાવ્યાં હતાં. તે સમયે માયાવતી લખનઉમાં મીરાબાઈ સ્ટેટ ગેસ્ટ હાઉસમાં હતી. લોકોની ભીડે ગેસ્ટ હાઉસને ચારેયબાજુથી ઘેરી લીધું હતું. આ ભીડમાં સપાનાં અનેક લોકો જોડાયા હતાં. બસપાની માયાવતીએ પોતાની સુરક્ષા માટે પોતાને એક રૂમમાં લોક કરી દીધું હતું. કેટલાય લોકો દરવાજો તોડવાનાં પ્રયાસો કરી રહ્યાં હતાં. અને તે જ સમયે ભાજપ નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીએ પોતે રિસ્ક લઈને એકલા ભીડમાં ગયાં અને બસપાની સુપ્રીમો માયાવતીનો બચાવ કર્યો.
કોણ હતાં બ્રહ્મદત્ત ?
બ્રહ્મદત્ત દ્વિવેદી ઉત્તરપ્રદેશનાં એવા નેતા હતાં જેમને મુખ્યમંત્રી પદનાં દાવેદાર માનવામાં આવતાં હતાં. પરંતુ તે આ પદ મેળવી શકે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું. દ્વિવેદી પોતાનાં વ્યક્તિત્વને કારણે જનતામાં પ્રિય મનાતા નેતાઓમાંના એક હતાં. અટલ બિહારી વાજપેયી-અડવાણીથી લઈને દરેક નાનામાં નાનો કાર્યકર્તા દ્વિવેદીને ઓળખતો હતો. રામમંદિર આંદોલનથી લઈને ગેસ્ટ હાઉસ કાંડ બાદથી તેઓ પૂર્વ PM વાજપેયીની નજરમાં આવી ગયાં હતાં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો