બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Saath Nibhaa Saathiya actress passes away at 83, TV industry shock, co-stars mourn

દુઃખદ / સાથ નિભાના સાથીયાની અભિનેત્રીનું 83 વર્ષની વયે નિધન, TV ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર, સાથી કલાકારો સદમામાં

Megha

Last Updated: 02:56 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટાર પ્લસની પ્રખ્યાત ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'માં બાનું પાત્ર ભજવનાર અભિનેત્રી અપર્ણા કાણેકરનું 83 વર્ષની વયે નિધન થયું છે.

  • ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા 
  • સાથ નિભાના સાથિયાની પીઢ અભિનેત્રીનું 83 વર્ષની વયે નિધન
  • ટેલિવિઝન સ્ટાર્સ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી  

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. સાથ નિભાના સાથિયામાં જાનકી બા મોદીનું પાત્ર ભજવનાર પીઢ અભિનેત્રી અપર્ણા કાણેકરનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચાર કો-સ્ટાર લવીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ સમાચારથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે.

લવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપર્ણા સાથેનો એક ફોટો શેર કર્યો અને એક ઈમોશનલ નોટ લખી. અન્ય ટેલિવિઝન સ્ટાર્સ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ખાસ કરીને સાથ નિભાના સાથિયાની સમગ્ર કાસ્ટને ખૂબ જ આઘાત લાગ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lovey Sasan (@loveysasan)

પોતાનું દુઃખ શેર કરતાં લવીએ લખ્યું - "આજે મારું હૃદય ખૂબ જ ભારે છે કારણ કે મારા સૌથી નજીકના અને સાચા ફાઇટરનું અવસાન થયું છે. બા, તમે સૌથી સુંદર અને મજબૂત વ્યક્તિ હતા. હું ખરેખર આભારી છું કે સેટ પણ અમે સાથે સુંદર સમય પસાર કર્યો. , જે હું ક્યારેય ભૂલીશ નહીં. બા, તમારા આત્માને શાંતિ મળે. તમે બધાના પ્રિય છો. તમને ખૂબ જ યાદ કરવામાં આવશે. તમારો વારસો હંમેશ માટે જીવંત રહેશે."

અપર્ણા કાણેકરનું મૃત્યુ કેવી રીતે થયું?
જો અહેવાલોનું માનીએ તો અપર્ણા કાણેકરના નિધનનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ અપર્ણા કાનેકરના નિધનથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. દરેક વ્યક્તિ અભિનેત્રીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહી છે. દેવોલિના ભટ્ટાચારજીથી લઈને તાન્યા શર્માએ પણ અપર્ણા કાણેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

જણાવી દઈએ કે, અપર્ણા કાણેકર વર્ષ 2011માં સાથ નિભાના સાથિયામાં જાનકી બા તરીકે જોડાઈ હતી. અગાઉ આ રોલ જ્યોત્સના કાર્યેકરે ભજવ્યો હતો. આ સમયગાળા દરમિયાન અપર્ણાએ તેના પાત્ર માટે લોકોનો ઘણો પ્રેમ મેળવ્યો હતો. હવે અન્ય ઘણા સેલેબ્સ અને ચાહકો તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ