બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Parth
Last Updated: 08:01 AM, 5 May 2021
અમદાવાદમાં આવતા પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે
ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે ગુજરાત હાઇકોર્ટ એક્શનમાં આવી છે. છેલ્લા ઘણા દિવસ ચાલી રહેલા સુઓ મોટો કેસમાં ગઇકાલે સુનાવણીમાં હાઇકોર્ટે અમદાવાદ કૉર્પોરેશનની પણ ઝાટકણી કાઢી હતી. સરકાર અને કૉર્પોરેશનના અલગ અલગ નિયમથી હાઇકોર્ટ નારાજ થઈ હતી જે બાદ હવે કૉર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદના રહેવાસીઓ માટે પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત
ગઇકાલે અમદાવાદ માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી અમદાવાદ આવતા દરેક લોકો પાસે RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવશે. અમદાવાદમાં પ્રવેશ માટે 72 કલાકની અંદરનો આ રિપોર્ટ આપવાનો રહેશે. અત્યારે સુધી અમદાવાદના જે નાગરિકો હતા તે બધાને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી હતી અને અમદાવાદના નાગરિકો કોઈ પણ ટેસ્ટ વગર શહેરથી બહાર જઈને પરત ફરી શકતા હતા. જોકે ગઇકાલે હાઇકોર્ટની કડક સૂચના બાદ કૉર્પોરેશન દ્વારા નિયમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બહારથી પ્રવેશ કરવા માટે કોઈ પણ નાગરિકે કોરોના ટેસ્ટ કરાવેલ હોવો ફરજિયાત છે.
સમગ્ર રાજ્ય માટે જાહેર કરી નવી ગાઇડલાઇન
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સ્થિતિએ ચિંતા વધારી છે તો ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને આડેહાથ લીધી છે,ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજેલી એક બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. જે સમગ્ર રાજ્યમાં માટે છે
12 મે સુધી લંબાવાયા કડક નિયમો
તા. ૬ મે-ર૦ર૧થી તા.૧ર મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે
જાણો શું રહેશે ચાલુ ?
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે
ઓફિસમાં માત્ર 50 ટકા સ્ટાફની જ હાજરી
ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT