બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Manisha Jogi
Last Updated: 12:25 PM, 29 August 2023
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અત્યાર સુધી એક પણ મોટો ખિતાબ જીતી શક્યા નથી. રોહિત શર્મા માટે એશિયા કપ 2023 અને વન ડે વર્લ્ડ કપ 2023 ખૂબ જ મહત્ત્વનો રહેશે. 16 વર્ષના ઈન્ટરનેશનલ કરિઅરમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. 36 વર્ષીય રોહિત શર્માએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આ કારણોસર લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, રોહત શર્મા વર્લ્ડ કપ 2023 પછી સંન્યાસ લઈ શકે છે.
વર્લ્ડ કપ 2023 પછી સંન્યાસ લેશે?
રોહિત શર્માએ વર્ષ 2007માં પહેલી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. હાલમાં તેઓ ટીમના મુખ્ય ખેલાડી છે. વર્ષ 2020 પછી તેમના પર્ફોર્મન્સ પર ખૂબ જ અસર થઈ છે. વર્ષ 2020 પછી એક જ સદી ફટકારી છે. રોહિત શર્માએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે મીડિયાને નિવેદન આપ્યું છે કે, ‘હું ટીમ સાથે આગામી બે મહિના સુધીમાં ખૂબ જ સારી યાદો બનાવવા માંગું છું.’ રોહિત શર્માના આ નિવેદન પછી માનવામાં આવી રહ્યું છે કે, તેમણે સંન્યાસ લેવાનો સંકેત આપ્યો છે.
વર્લ્ડ કપ 2019
રોહિત શર્મા માટે વન ડે વર્લ્ડ 2019 કપ ખૂબ જ શાનદાર રહ્યો હતો. જેમાં તેમણે 5 સદીની સાથે 648 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા તે ટુર્નામેન્ટમાં ટોપ રન સ્કોરર રહ્યા હતા. રોહિત શર્માએ વન ડે વર્લ્ડને યાદ કરતા જણાવ્યું હતું કે, ‘હું પ્રેશર ફ્રી કેવી રીતે રહું છું, તે મારા માટે ખૂબ જ જરૂરી છે. હું અન્ય બાબતો વિશે વિચારતો નથી. વર્લ્ડ 2019 પહેલા જેવો હતો તેવો થવા માંગુ છું. હું માનસિકરૂપે તૈયાર હતો અને ટુર્નામેન્ટ માટે ખૂબ જ મહેનત કરી હતી. હું વ્યક્તિગત રીતે તે વિચારધારા પર ફોકસ કરવા માંગુ છું.’
ભારતીય ટીમ માટે પ્રદર્શન
રોહિત શર્માએ અત્યાર સુધીમાં ભારતીય ટીમ માટે 52 ટેસ્ટ મેચ, 244 વન ડે મેચ અને 148 T20 મેચ રમી છે. વન ડે મેચમાં તેમણે 9837 રન, ટેસ્ટમાં 3677 9837 અને T20માં 3853 રન કર્યા છે. જેમાં તેમણે કુલ 44 સદી ફટકારી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ