બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Regarding the Vadodara boat tragedy, the Bar Association decided that no advocate would fight the case of the accused.
Last Updated: 02:50 PM, 19 January 2024
ADVERTISEMENT
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે વડોદરાના વકીલ મંડળએ મહત્વનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે, કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહી લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
વકીલ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી
હરણી તળાવમાં 17 જેટલા લોકોના મૃત્યું થયા છે. આ ગોઝારી દૂર્ઘટનાના પગલે વકીલ મંડળે સરાહનીય નિર્ણય કર્યો છે. વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે તેવો એકાત દર્શી નિર્ણય લેવાયો છે
ADVERTISEMENT
ઘટના હૈયુ હચમાચાવી દે તેવી
ગઈકાલથી દરેક જગ્યા પર વડોદરામાં સર્જાયેલી હોનારતની જ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ ઘટના હૈયુ હચમાચાવી દે તેવી છે. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ હોનારતમાં 17 માસુમો મોતને ભેટ્યા છે. જોકે હવે આ કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે.
ADVERTISEMENT
સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી!
હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: 'માત્ર 8 બાળકોએ જ લાઈફ જેકેટ પહેર્યા હતા', જુઓ શું કહી રહ્યાં છે વડોદરા હરણી લેક દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી
આરોપીના બદલે ફરીયાદી ?
કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવીએ કે, રાજેશ ચૌહાણે યોગ્ય તપાસ ન કરતાં કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી છે. જ્યારે આરોપી બનાવવાને બદલે કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણને જ ફરિયાદી બનાવી દેવાતા પણ અનેક વેધક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.