બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ramotasav vhp big campaign 25th march to 8th april ram mandir construction
Hiren
Last Updated: 10:26 PM, 2 January 2020
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મોટા કાર્યક્રમનું એલાન કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દેશના 2.75 લાખ ગામડાઓમાં ભગવાનની પ્રતિમા લગાવશે. રામોત્સવના નામથી ચાલનાર આ કાર્યક્રમ 25 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલે તેનું સમાપન થશે. વર્ષ 1989માં રામ મંદિર આંદોલન દરમિયાન આજ ગામડાઓથી મંદિર નિર્માણ માટે ઈંટો આવી હતી.
જણાવી દઇએ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે VHP ઘણુ સક્રીય રહ્યું છે હવે નિર્માણ પહેલા તેણે એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્યારે VHPની નજર રામ મંદિર માટે પુજારિયો પર પણ છે. ત્યારે મંદિર માટે દલિત પુજારી પણ ઇચ્છે છે. VHPનું માનવું છે કે દલિત પુજારીની નિમણૂંક દ્વારા સામાજિક સમરસતાનો મોટો સંદેશ આપી શકાય છે. વિહિપનું કહેવું છે કે, મંદિરનું નિર્માણ સરકાર નહીં સમાજના પૈસે થશે.
સરકાર પણ એક્શનમાં
ત્યારે, રામ મંદિર નિર્માણ માટે સરકાર પણ એક્શનમાં છે. સુપ્રીમ કોર્ટના આવેલ નિર્ણયના અંદાજિત બે મહિના બાદ મોદી સરકારે આ સંબંધિત મામલાઓને જોવા માટે એક અલગ ડેસ્ક બનાવ્યું છે. તેની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારીઓ કરશે. ગૃહ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે, અયોધ્યા મામલે અને કોર્ટના નિર્ણયથી જોડાયેલ મામલાઓને ત્રણ અધિકારીઓ જોશે. આ ટીમનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ