બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot 5 to 7 cows are dying daily in cattle sheds Mahesh Rajput allegations

રાજકોટ / જીવદયાના નામે કૌભાંડ !, 'રોજ 5થી7 ગાયોના થાય છે મોત' કોંગ્રેસના ગંભીર આક્ષેપ

Last Updated: 04:35 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: મહેશ રાજપૂતના આક્ષેપો પ્રમાણે રાજકોટમાં દર મહિને રૂપિયા 60 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં ઢોર ડબ્બામાં રોજ 5થી 7 ગાયોના મોત થઈ રહ્યા છે.

આપણે ત્યાં ગાયોના નામે લોકો લાખો-કરોડો રૂપિયાનું દાન આપી છે. પરંતુ લાખો કરોડો લોકોમાંથી કેટલાક એવા પણ લોકો હોય છે. જે મુંગા પુશાઓના મુખેથી પણ કોળિયો છીનવી લે છે. આવું જ કૌભાંડ રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જીવદયાના નામે અપાતી ગ્રાન્ટમાં કૌભાંડના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મહેશ રાજપૂતના આક્ષેપો પ્રમાણે, રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટના રાજેન્દ્ર શાહ અને યશ શાહ કરી રહ્યા છે. અને ઢોર ડબ્બામાં પુરવામાં આવેલા પશુઓના નિભાવ માટે દર મહિને 60 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

 

'ઢોર ડબ્બામાં રોજ 5થી 7 ગાયોના મોત થઈ રહ્યા છે'
આક્ષેપો પ્રમાણે દર મહિને રૂપિયા 60 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં ઢોર ડબ્બામાં રોજ 5થી 7 ગાયોના મોત થઈ રહ્યા છે. અને આ પાછળનું કારણ છે, તેમનો યોગ્ય રીતે નિભાવ નથી કરવામાં આવતો તે છે. ટ્રસ્ટના સંચાલકો લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉં કરી જાય છે. જેથી પશુઓને પુરતો ખોરાક મળતો નથી. આ કારણે તેમના મોત થઈ રહ્યા છે. મહેશ રાજપૂતના આક્ષેપ પ્રમાણે હાલમાં પણ ઢોર ડબ્બામાં 150થી વધુ પશુઓને રાખવામાં આવ્યા છે. જેમની હાલત પણ દયનિય છે.

જીવદયાના નામે કૌભાંડ 
પશુ નિભાવના લાખો રૂપિયા ક્યાં જાય છે?
ઢોર ડબ્બામાં પશુઓના મોતને લઈને આક્ષેપ
60 લાખ ફાળવાય છે, તો પશુઓ કેમ મરે છે?
પશુ નિભાવના રૂપિયા કોણ ચાંઉ કરી જાય છે?
કોંગ્રેસના આક્ષેપોમાં કેટલું સત્ય છે?

વાંચવા જેવું: ભર ઉનાળે ભડાકા! ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય, આ જિલ્લાઓમાં 2 દિવસ વરસાદની આગાહી

સળગતા સવાલ 
જીવદયાના નામે કોણ લાખો રૂપિયા ચાંઉ કરી રહ્યું છે?
પશુ નિભાવ માટે 60 લાખ રૂપિયા ઓછા પડે છે?
શું રોજ 2 લાખ રૂપિયાનો ચારો પશુઓ ખાઇ જાય છે?
પાંજરાપોળમાં ગાયોને મારવા માટે પુરવામાં આવે છે?
શું ગાયોના નામે લાખો રૂપિયા જીવદયા ટ્રસ્ટ ચાંઉ કરે છે?
ગાયોના નિભાવ માટે 2 લાખનો ખર્ચ તો મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?
રોજ 5 થી 7 ગાયો મરવા પાછળનું કારણ શું છે?

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Jeevdaya Scam Rajkot News ગાયોના મોત મહેશ રાજપૂતના આક્ષેપ રાજકોટ જીવદયા કૌભાંડ Rajkot News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ