બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / rajasthan congress crisis sachin pilot fast toady congress sukhjinder singh randhawa rajasthan politics
Malay
Last Updated: 08:49 AM, 11 April 2023
રાજસ્થાન કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે તે બધાની સામે છે. આ સમગ્ર પ્રકરણમાં એક વ્યક્તિ છે સુખજિંદર સિંહ રંધાવા, તેમના પર બધાની નજર છે. શું રંધાવા કોઈ ઉકેલ શોધી શકશે? શું તેઓ સચિન પાયલટના ઉપવાસ બાદ દબાણ ઘટાડી શકશે? શું તેમની પાસે બંને બાજુના લોકોને શાંત અને સંતુષ્ટ કરવાનો કોઈ પ્લાન છે? આ તમામ સવાલોના જવાબ રંધાવા જ આપી શકે છે.
કોંગ્રેસના નેતાએ પોતાની સરકાર સામે જ મોરચો ખોલ્યો
રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ફરી એકવાર મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પોતાની સરકાર સામે જ મોરચો ખોલ્યો છે. સચિન પાટલટ આજે જયપુરમાં શહીદ સ્મારક પર રાજસ્થાન સરકાર વિરુદ્ધ એક દિવસીય ઉપવાસ પર ઉતરશે.
સચિન પાટલટના કારણે વધ્યું કોંગ્રેસનું ટેન્શન
સચિન પાયલટ હવે માત્ર સીએમ અશોક ગેહલોત માટે જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટી માટે પણ માથાનો દુખાવો બની રહ્યા છે. સચિન પાયલટે ભાજપની વસુંધરા સરકારના કૌભાંડો અને ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ગેહલોત સરકાર સામે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટી ગેહલોત સરકારની જનહિત યોજનાઓ અને ઉપલબ્ધિઓના આધારે વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે. આવી સ્થિતિમાં સચિન પાયલટના ઉપવાસથી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન થશે. એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ પાયલટને આ ઉપવાસ રોકવા કડક સૂચના આપી છે.
પ્રભારી રંધાવા એક્ટિવ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે 11 એપ્રિલે ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરતાની સાથે જ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ. જે બાદ હાઈકમાન્ડે પ્રભારી રંધાવાને એક્ટિવ કરી દીધા છે. હવે રંધાવા જયપુરમાં છે. શું તેઓ સચિનના મંચ પર જશે? શું તેઓ ફોન પર જ વાત કરશે? અથવા કોઈ અન્ય રણનીતિ હશે. દરેકની નજર તેમના પર છે.
અજય માકન બાદ મળી છે જવાબદારી
અવિનાશ પાંડે પછી અજય માકનને જવાબદારી મળી. તેમ છતાં પરિસ્થતિમાં કોઈ સુધારો ન આવતા તેમને હટાવીને હવે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખજિંદર રંધાવાને અહીં પ્રભારી બનાવવામાં આવ્યા છે, ત્યારે બધાની નજર તેમના પર ટકેલી છે. પરંતુ શું તેઓ કોઈ મોટો અને નક્કર ઉકેલ શોધી શકશે? પાસ થશે કે નાપાસ થશે? આ બધું ટૂંક સમયમાં દેખાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime