બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Parth
Last Updated: 02:17 PM, 25 April 2021
શું કહ્યું રાહુલ ગાંધીએ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને કોરોનાકાળમાં લોકોની મદદ કરવા માટે અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસનો આ જ ધર્મ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સિસ્ટમ ફેલ છે તેથી જન કી બાત કરવાની જરૂર છે. આ સંકટમાં દેશને જવાબદાર નાગરિકોની જરૂર છે. મારા કોંગ્રેસી સાથીઓને અપીલ કરી છું કે બધા જ રાજકીય કામ છોડીને માત્ર પ્રજાની સહાયતા કરે. બધી જ રીતે દેશવાસીઓનું દુખ દૂર કરો. કોંગ્રેસ પરિવારનો આ જ ધર્મ છે.
‘सिस्टम’ फ़ेल है इसलिए ये जनहित की बात करना ज़रूरी है:
— Rahul Gandhi (@RahulGandhi) April 25, 2021
इस संकट में देश को ज़िम्मेदार नागरिकों की ज़रूरत है। अपने कांग्रेस साथियों से मेरा अनुरोध है कि सारे राजनैतिक काम छोड़कर सिर्फ़ जन सहायता करें, हर तरह से देशवासियों का दुख दूर करें।
कांग्रेस परिवार का यही धर्म है।
કોંગ્રેસીઓને આગળ આવવા કરી અપીલ
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે ઘણા બધા લોકો સોશ્યલ મીડિયા અને અન્ય માધ્યમોથી લોકોની મદદમાં લાગેલા છે ત્યારે રાહુલ ગાંધીની આ અપીલ બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ લોકોની મદદ માટે આગળ આવે તેવી આશા છે. રાહુલ ગાંધી હાલ પોતે કોરોના વાયરસથી સંક્રમિત છે અને હોમ આઇસોલેશનમાં છે.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે કારણ કે શહેર શહેર કોરોના કહેર જોવા મળી રહ્યો છે. ભારતની મોટી મોટી હોસ્પિટલોના હાલ બેહાલ છે જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં તો ભયંકર પરિસ્થિતિ છે. લોકો ઑક્સીજન વગર તરફડીને મરી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (25 એપ્રિલ, 2021)
ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એક દિવસ 3,49,691 નવા કેસ નોંધાયા છે જ્યારે 2,767 દર્દીઓના મોત થતાં દેશમાં કોહરામ જેવી પરિસ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે ભારતમાં 2,17,113 દર્દીઓએ કોરોના વાયરસ સામે જીત પણ મેળવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ