બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Khyati
Last Updated: 12:40 PM, 30 August 2022
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય દિગગ્જોના આંટાફેરા વધી રહ્યા છે. એક તરફ કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ તથા પીએમ મોદી ખુદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પણ ચૂંટણીને લઇને ફુલ ઓન તૈયારીઓ કરી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સક્રિય થશે.
ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે પ્રિયંકા ગાંધી
ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં પ્રિયંકા ગાંધી ઝંપલાવશે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી શકે છે. 25 સપ્ટેમ્બરની આસપાસ પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન સભાનું પણ આયોજન થઇ શકે છે. આ દરમિયાન કોંગ્રેસના ઉચ્ચ નેતા અને હોદ્દેદારો સાથે બેઠક કરે તેવી શક્યતા છે. 5 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવશે.
ચૂંટણી કેમ્પેઇનના શ્રીગણેશ કરશે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવશે. ભારત જોડો યાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે. કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો સાથે એક દિવસીય બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જનમિત્ર, સંગઠન હોદ્દેદારો, ધારાસભ્યો સાથે પણ બેઠકોનું આયોજન કરવામાં આવશે અને ચૂંટણી કેમ્પેઇનના શ્રીગણેશ કરશે.
દરેક વિધાનસભા મતવિસ્તારમાં આયોજન
મિશન 2022 માટે કોંગ્રેસ તમામ વિધાનસભામાં પદયાત્રા કરશે. દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 5 કિ.મી.ની પદયાત્રાનું આયોજન કરાયું છે.1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. 2 સપ્ટેમ્બરે પણ 8 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો