બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરશે આ 5 દેશી વસ્તુ, અપનાવો ઘરેલું નુસખા
Last Updated: 12:26 PM, 5 May 2024
જો શરીરમાં યુરિક એસિડ વધી જાય તો રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થવા લાગે છે. યુરિક એસિડ ક્રિસ્ટલમાં બદલાઈ જાય છે અને આંગળીઓના સાંધામાં અટવાઈ જાય છે, જેનાથી ખૂબ જ વધારે દુઃખાવો થઈ શકે છે. આ સિવાય બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, કેટલાક ઘરેલું ઉપચાર શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આજે જાણીએ એવી જ 5 સસ્તી અને દેશી વસ્તુઓ વિશે જાણીએ કે જે યુરિક એસિડને ઘટાડી શકે છે.
ADVERTISEMENT
ધાણા - સૂકાં ધાણા યુરિક એસિડના ક્રિસ્ટલ્સને ખતમ કરીને શરીરમાંથી બહાર ફેંકવામાં મદદ કરે છે. ધાણામાં એવા ગુણ હોય છે કે તે યુરિક એસિડને યુરિન સાથે બહાર કાઢી નાખે છે. આવી સ્થિતિમાં જેમના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું હોય તેઓએ ધાણાની ચા અથવા ઉકાળો પીવો જોઈએ.
ADVERTISEMENT
હરડે - હરડેમાં ડિટોક્સીફાઈંગ તત્વો જોવા મળે છે, જે શરીરમાં ફસાયેલા ટોક્સિન્સ અને યુરિક એસિડને બહાર ફેંકી દે છે. હરડેનું સેવન પાચન માટે પણ સારું હોય છે. તેનાથી યુરિક એસિડ સરળતાથી ખતમ થઈ જાય છે અને ગાઉટની સમસ્યા પણ દૂર થઈ શકે છે.
આમળા - આમળામાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં સોજાને તો વધતો અટકાવે છે, સાથે જ ઓક્સિડેટીવ સ્ટ્રેસને પણ ઘટાડે છે. આનાથી યુરિક એસિડનું સ્તર ઘટે છે, તેથી આમળાનો ઉપયોગ ફાયદાકારક હોય છે.
લીમડો - યુરિક એસિડના ક્રિસ્ટલ્સને દૂર કરવામાં લીમડો પણ મદદરૂપ થાય છે. લીમડામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે, જે સોજો ઘટાડે છે અને યુરિક એસિડની સમસ્યાને દૂર કરે છે. લીમડો શરીરના ડિટોક્સિફિકેશન માટે પણ સારું કામ કરે છે.
વધુ વાંચો: વજન ઘટાડવા માટે રાતનું ભોજન છોડવું નુકશાનકારક, જાણો સ્વાસ્થ્ય પર શું અસર થાય
ગિલોય - એન્ટી-ઇન્ફલેમેટરી ગુણધર્મો સાથે ગિલોય યુરિક એસિડનું સ્તર વધારવામાં અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. તે કિડનીને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે, જેના કારણે શરીરમાંથી ટોક્સિન અને યુરિક એસિડ સરળતાથી બહાર નીકળી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT