બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Nirav
Last Updated: 12:36 AM, 7 January 2021
પીએમ મોદીએ ટ્વીટ કર્યું, "આ વર્ષે અમે જર્મની સાથે દ્વિપક્ષીય સંબંધોની સ્થાપનાની 70 મી વર્ષગાંઠ અને વ્યૂહાત્મક ભાગીદારીની 20 મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ." આ પ્રસંગે, વિડિઓ કોલદ્વારા ચાન્સેલર મર્કેલ સાથે ઉપયોગી વાતચીત કરવામાં આવી હતી. "તેમણે ભારત-જર્મન સંબંધોને મજબૂત બનાવવા પ્રત્યેની વ્યક્તિગત પ્રતિબદ્ધતા માટે મર્કેલની પ્રશંસા કરી હતી."
વૈશ્વિક મંચ પર સ્થિર અને મજબૂત નેતૃત્વ પ્રદાન કરવામાં મર્કેલની સાર્થક ભૂમિકા : પીએમ મોદી
તેમણે કહ્યું કે, "અમે કોવિડ -19 રોગચાળા સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોની આપ-લે કરી." આ અગાઉ વડા પ્રધાન કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ યુરોપિયન અને વૈશ્વિક મંચ પર મજબૂત અને સ્થિર નેતૃત્વ પ્રદાન કરવામાં ચાન્સેલર મર્કેલની લાંબા સમયની ભૂમિકાની પ્રશંસા કરી. ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા દિશા નિર્દેશ કરવા બદલ તેમણે તેમનો આભાર માન્યો.
કોવિડ અંગે ચર્ચા થઈ
બંને નેતાઓએ કોવિડ -19 રોગચાળા, દ્વિપક્ષીય સંબંધો, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અને ખાસ કરીને ભારત-EU સંબંધો સાથેના વ્યવહાર સહિત પરસ્પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. નિવેદનમાં જણાવાયું છે કે વડા પ્રધાને ચાન્સેલર મર્કેલને કોરોના રસીના વિકાસથી સંબંધિત પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા અને તેમને ખાતરી આપી કે ભારત તેની ક્ષમતાઓથી વિશ્વને લાભ આપવા પ્રતિબદ્ધ છે.
પીએમ મોદીએ ISA માં જોડાવાના જર્મનીના નિર્ણયનું સ્વાગત કર્યું
નિવેદનમાં વધુમાં જણાવ્યાનુસાર કહેવાયું હતું કે તેઓ સંક્રમણની નવી લહેરને શક્ય તેટલી ઝડપથી ફેલાતા અટકાવવા જર્મની અને અન્ય યુરોપિયન દેશોમાં તેમની સફળતાની ઇચ્છા રાખે છે. વડા પ્રધાને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં જોડાવાના જર્મનીના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને એન્ટી ડિઝાસ્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ જોડાણ સાધી જર્મની સાથે સહયોગને વધુ મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
આ વર્ષે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સ્થાપનાની 70 મી વર્ષગાંઠ અને વ્યૂહાત્મક ભાગીદારીની 20 મી વર્ષગાંઠના મહત્વને દોરતા, બંને નેતાઓએ આ વર્ષે છઠ્ઠી ઇન્ટર ગવર્ન્મેન્ટલ ડિસ્કશન આયોજિત કરવા અને આ પ્રસંગે મહત્વાકાંક્ષી એજન્ડાની યોજના નક્કી કરવા પણ સંમત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT