બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / ગુજરાત / PM Modi donates his land to a trust, a building named Nadbraham will be built on this land
Dinesh
Last Updated: 05:09 PM, 12 March 2024
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોક ચાહનામાં અવ્વલ નંબર હાંસલ કરી રહ્યાં છે. જેમની ચાહના પાછળ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ દેશના વિકાસમાં સતત કાર્યશીલ રહે છે સાથો સાથ તેમની દરેક બાબતમાં વિચારશૈલી અગ્રીમ હરોળની હોય છે. આ બધાની વચ્ચે તેમની લોકસેવાની વધુ એક માહિતી ધ્યાને આવી છે. PM મોદીએ પોતાની ગાંધીનગર સ્થિતની જમીન એક ટ્રસ્ટને દાનમા આપી દીધી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ગાંધીનગર સ્થિતની જમીન એક ટ્રસ્ટને દાનમા આપી દીધી છે. આપને જણાવીએ કે, આ જમીન પર નાદબ્રહ્મ નામની એક ઇમારત બની રહી છે. જે ઇમારત 16 માળની હશે. જેમાં સંગીતની વિશ્વકક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. આ ઈમારત વિશ્વમાં પોતાના અનોખા પ્રકારની અનોખી ઈમારત હશે
તો બીજી તરફ પ્રધાનમંત્રી આજે ગુજરાતના પ્રવાસે હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડીકૂચ દિવસે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીવંદના કરીને 'આશ્રમ ભૂમિ વંદના' પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો, સાથે સાથે પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. વડાપ્રધાનએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હૃદય કુંજની મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે પુનઃ નિર્માણ પ્રોજેક્ટને દર્શાવતું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આશ્રમ પરિસરમાં વડાપ્રધાનના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વાંચવા જેવું: ગુજરાતમાં મધદરિયેથી ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ, સંયુક્ત ઓપરેશનમાં મળી મોટી સફળતા
આ પ્રસંગે વડાપ્રધાનએ જણાવ્યું હતું કે સાબરમતી આશ્રમ હંમેશાં અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે. અહીંયા આવીને આપણે બાપુની પ્રેરણા અનુભવીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે,સાબરમતી આશ્રમે પૂજ્ય બાપુના સત્ય અને અહિંસા, રાષ્ટ્રસેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવા જોવાના મૂલ્યોને જીવંત રાખ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ