બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
VTV / ભારત / Politics / ત્રીજા તબક્કાના મતદાન પહેલા સમાજવાદી પાર્ટીમાં મોટો ફેરફાર, બદલી નંખાયા UP પ્રદેશ અધ્યક્ષ
Last Updated: 03:34 PM, 6 May 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાનાર છે. આ પહેલા ઉત્તર પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીમાં મોટો ફેરફાર કર્યો છે. અખિલેશે નરેશ ઉત્તમ પટેલના સ્થાને શ્યામ લાલ પાલને યુપીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. શ્યામ લાલ પાલની વાત કરીએ તો તેઓ સમાજવાદી પાર્ટીના પ્રદેશ મહાસચિવ પણ રહી ચૂક્યા છે. જે બાદ નરેશ ઉત્તમ પટેલે તેમનો રાજ્ય કારોબારીમાં સમાવેશ કર્યો હતો. ગયા વર્ષે જ સપાએ તેમને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી હતી.
ADVERTISEMENT
નરેશ ઉત્તમ પટેલ યુપીની ફતેહપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સપા પ્રમુખના પણ નજીકના માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પ્રચાર પર હોવું જોઈએ આને ધ્યાનમાં રાખીને અખિલેશે તેમની પાસેથી જવાબદારી લઈને શ્યામ લાલ પાલને સોંપી દીધી છે.
યુપીની 10 સીટો પર 7 મેના રોજ મતદાન
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની વાત કરીએ તો યુપીમાં 10 સીટો પર 7 મેના રોજ મતદાન થશે. તેમાં સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર સિકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાઉન, આમલા અને બરેલીનો સમાવેશ થાય છે. આ તબક્કામાં 1.88 કરોડ મતદારો 100 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ, યુપીના પર્યટન મંત્રી જયવીર સિંહ, મહેસૂલ રાજ્ય મંત્રી અનુપ પ્રધાન બાલ્મિકી અને મુલાયમ સિંહ યાદવના પરિવારના ઘણા સભ્યોના ભાવિનો નિર્ણય થશે.
વધુ વાંચો : 'ઘરે જાઓ, તો જોજો, નોટોના પહાડ મળી રહ્યાં છે', ઝારખંડના દરોડા પર PM મોદીનું મોટું નિવેદન
મહત્વનું છે કે, અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરીથી ચૂંટણી લડી રહી છે. સપાના રાષ્ટ્રીય મુખ્ય મહાસચિવ રામ ગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ ફરીથી ફિરોઝાબાદ બેઠક પરથી જીતવા માટે પ્રયાસ કરી રહ્યા છે જે તેમણે 2014માં જીતી હતી. બીજી તરફ બદાઉન લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આદિત્ય યાદવ સપાના ગઢમાં જીત મેળવવાનો પ્રયાસ કરશે. જે સીટ પર ધર્મેન્દ્ર યાદવે 2014માં જીત મેળવી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહ એટાહ બેઠક પરથી હેટ્રિક બનાવવાની આશા રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT