બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Bijal Vyas
Last Updated: 08:47 PM, 31 July 2023
Passive Smoking: 'તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કેન્સરનું કારણ બની શકે છે.' આ લાઈન તમને દરેક સિગારેટ બોક્સ પર જોવા મળશે. પરંતુ આ પછી પણ લોકોનું સિગારેટ પીવાનું ઓછું થતું નથી. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે જે લોકો સિગારેટ પીવે છે તેમને જ કેન્સર થાય છે... પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, જે લોકો સિગારેટ પીનારાઓ સાથે રહે છે તેમને પણ કેન્સર થાય છે. આવો જ એક કિસ્સો હૈદરાબાદની નલિનીનો ચર્ચામાં હતો. જેને તેના પતિની સિગારેટની લતના કારણે કેન્સર થયું હતું. આવો જાણીએ કે સામેની વ્યક્તિની સિગારેટ પીવાથી તમે મૃત્યુની કેટલા નજીક આવો છો.
શું છે હૈદરાબાદની નલિનીનો મામલો?
એક અખબારમાં છપાયેલા સમાચાર મુજબ, નલિની સત્યનારાયણ નામની મહિલા હૈદરાબાદમાં રહે છે. વર્ષ 2010 માં જ્યારે તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેમનો ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે તેમને કેન્સર છે. જોકે, તેણે જીવનમાં ક્યારેય તમાકુનું સેવન કર્યું ન હતું. હવે સવાલ એ થાય છે કે, આ કેવી રીતે થયું. બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં નલિનીએ જણાવ્યું કે, તેના લગ્નને 33 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેનો પતિ ચેઈન સ્મોકર છે, આ કારણે તે ઈચ્છા વગર પણ દરરોજ સિગારેટનો ધુમાડો શ્વાસમાં લે છે. તેને ખાલી એવી રીતે સમજો કે જો તમે તમારી આસપાસ હોય ત્યારે સિગારેટ પીનારા કોઈની સાથે હોય તો તેના દ્વારા નીકળતો ધુમાડો તમારા ફેફસામાં પણ જાય છે અને પછી તમે સિગારેટ પીધા વિના પણ કેન્સરનો શિકાર બની જાઓ છો.
કેટલા લોકો એવા પોતાનો જીવ ગુમાવે છે ?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અહેવાલ મુજબ, તમાકુના સેવનને કારણે દર વર્ષે લગભગ 80 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. આમાં 12 લાખ લોકો એવા છે જેઓ તમાકુના સેવનથી પરોક્ષ રીતે મૃત્યુ પામે છે. એટલે કે, આ લોકો સિગારેટ પીનારાઓ સાથે રહેતા હોવાને કારણે જ પોતાનો જીવ ગુમાવે છે. બીજી તરફ જો ભારતની વાત કરીએ તો WHOના રિપોર્ટ મુજબ દર વર્ષે તમાકુના સેવનથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 13.5 લાખથી વધુ છે. મતલબ હવે તમારે સમજવું પડશે કે, ભલે તમે સિગારેટ ન પીતા હોય, પરંતુ જો તમારી આસપાસ કોઈ સિગારેટ પીતું હોય તો તે તમને મૃત્યુની નજીક લઈ જઈ રહ્યું છે.
લોકો તમાકુથી દૂરી બનાવો
WHOના એક અહેવાલ મુજબ, સમગ્ર વિશ્વમાં લોકો હવે તમાકુના જોખમો વિશે જાગૃત થઈ રહ્યા છે. આ જ કારણ છે કે હવે પહેલાની સરખામણીમાં તમાકુનું સેવન કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2000 થી 2020 ની સરખામણી કરીએ તો તમાકુનું સેવન કરનારી સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2000ની જેમ, જ્યાં 15 વર્ષથી વધુ ઉંમરના લગભગ 32 ટકા લોકો તમાકુનો ઉપયોગ કરતા હતા. તે જ સમયે, વર્ષ 2020 માં આ સંખ્યા ઘટીને 20 ટકા થઈ ગઈ.
મહિલા પુરૂષની વાત કરીએ તો વર્ષ 2000માં જ્યાં 49 ટકા પુરૂષો અને 37 ટકા મહિલાઓ તમાકુનો ઉપયોગ કરતી હતી, વર્ષ 2020માં આ સંખ્યા ઘટીને 16 ટકા અને 8 ટકા થઈ ગઈ છે. જો કે આ પછી પણ દર વર્ષે લાખો લોકો તમાકુના સેવનથી જીવ ગુમાવે છે. તે જ સમયે, તેની અસર બાળકો પર સૌથી વધુ જોવા મળે છે. WHOના રિપોર્ટ અનુસાર, દર વર્ષે લગભગ 65 હજાર બાળકો પેસિવ સ્મોકિંગ એટલે કે અપ્રત્યક્ષ ધૂમ્રપાનને કારણે જીવ ગુમાવે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ