બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Parliament passes bill to raise upper limit for abortions to 24 weeks in special cases
Hiralal
Last Updated: 09:53 PM, 16 March 2021
કેન્દ્ર સરકારે રેપ પીડિતા, પારિવારિક વ્યભિચાર, સગીરા તથા વિકલાંગ મહિલા માટે ગર્ભપાતનો સમય વધારી દીધો છે અને આ રીતે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. લોકસભામાં તો મેડિકલ ટર્મિનેશ ઓફ પ્રેગનન્સી એક્ટ એક વર્ષ પહેલા પસાર કરી દેવાયો છે. હવે આ બીલને રાષ્ટ્રપતિની મંજૂરી અર્થે મોકલવામાં આવશે જે પછી તે કાયદો બનશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને રાજ્યસભામા આ બીલ રજૂ કર્યું હતું. વિપક્ષોએ તેને સિલેક્ટ કમિટિ પાસે મોકલવાની માગ કરી હતી. પરંતુ વિપક્ષની આ માગને ધ્વનિમત દ્વારા નકારી કાઢવામાં આવી હતી.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને જણાવ્યું કે વૈશ્વિક પ્રણાલી અને દેશમાં વ્યાપક સલાહ-મસલત બાદ આ બીલમાં સુધારા કરાયા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં અમે મહિલાઓને નુકશાનકારક હોય તેવો કોઈ કાયદો નહીં બનાવીએ. મહિલાઓની ગરિમા જાળવી રાખવા માટે આ બીલ લવાયું છે.
બીલ પર કેટલાક સાંસદોના વાંધા-વચકા અને સૂચનો નામ પૂરતા છે અને તેમની પાર્ટીની વિચારધારાને અનુરુપ છે.
અત્યાર સુધી તો 20 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી હતી
અત્યાર સુધી 20 અઠવાડિયા એટલે કે 5 મહિનાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી હતી. પરંતુ હવે તેની મુદત વધારીને 24 અઠવાડિયા સુધી કરાઈ છે. એટલે કે કોઈ રેપ પીડિતા, પરિવારના વ્યભિચાર કે ગર્ભવતી સગીરા 24 અઠવાડિયા સુધીના ગર્ભના ગર્ભપાત કરાવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ