બ્રેકિંગ ન્યુઝ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Panchmahal Morva Hadaf assembly constituencies in covid pandemic
Gayatri
Last Updated: 04:24 PM, 15 April 2021
મોરવાહડફ વિધાનસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર ભારે પડી શકે છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે એવામાં મોરવા હડફના ફરી એકવાર બેદકરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. આ વખતે પણ ભાજપના જ કાર્યકર્તાઓએ નિયમને નેવે મુક્યા હતા. મોરવાહડફના પેટ્રોલપંપ પર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. તેમણે સોશિયલ ડિસ્ટંસિંગ અને માસ્કના નિયમોનો ભંગ કર્યો હતો.
આ ભીડમાં પેટ્રોલ ભરાવવા પહોંચેલા મહિસાગર જિલ્લાના મહામંત્રી પણ માસ્કના નિયમને ઘોળીને પી ગયા હતા. તેઓ પણ માસ્ક વગર ભીડ વચ્ચે જોવા મળ્યા હતા. આ પહેલાં મોરવાહડફમાં ભાજપ નેતાએ ચૂંટણી પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. નેતાઓએ બાઈક રેલી યોજી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા. આ દ્રશ્યો બાદ સવાલ થઈ રહ્યા છે કે શું ભાજપના કાર્યકર્તાઓને નિયમોનું ભાન કરાવવા માટે દંડ થશે કે તંત્ર આંખ આડા કાન કરશે.
સળગતા સવાલ
17મી એપ્રિલના રોજ યોજાશે પેટાચૂંટણીનું મતદાન
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં આ આદિવાસી રિઝર્વ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. મોરવા હડફ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ ત્રણ વખત ચૂંટણી યોજાઇ
2 વખત સામાન્ય ચૂંટણી અને 1 વખત પેટાચૂંટણી થઇ હતી. 2 વખત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે મેદાન માર્યું હતું. પેટાચૂંટણીમાં 1 વખત ભાજપની જીત થઈ હતી.
મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર
17 એપ્રિલે મતદાન યોજાશે અને 2 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. આ બેઠક પર ખોટા પ્રમાણપત્રને લઇ કોંગ્રેસના ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરાયા હતા. ખોટા પ્રમાણપત્રનો મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને બાદમાં ભૂપેન્દ્ર ખાંટનું નિધન થયું હતું. ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા બેઠક ખાલી જાહેર કરાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ