બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:53 PM, 10 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે. સીઝફાયર આ શબ્દ અચાનક ચર્ચામાં આવી ગયો છે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે યુદ્ધવિરામ (સીઝફાયર) ખરેખર શું છે. યુદ્ધવિરામનો અર્થ કોઈપણ સંઘર્ષનો અંત લાવવો છે. તેનો અર્થ એ કે જ્યારે તેનો અમલ થાય છે ત્યારે સંઘર્ષ અસ્થાયી રૂપે અથવા કાયમી ધોરણે બંધ થઈ જાય છે.
ADVERTISEMENT
શું હોય છે સીઝફાયર?
જ્યારે પણ બે દેશો એકબીજા સાથે લડી રહ્યા હોય છે, ત્યારે સરહદ પર કોઈપણ આક્રમક કાર્યવાહી બંધ કરવા સંમત થાય છે અને તેને રોકવાનું વચન આપે છે, ત્યારે તેને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માનવામાં આવે છે. યુદ્ધવિરામ માટે હંમેશા ઔપચારિક સંધિની જરૂર હોતી નથી. બંને દેશો પોતાની સંમતિના આધારે પણ આ નિર્ણય લઈ શકે છે. આ કરાર પૂર્ણ થયા પછી પણ જો કોઈ દેશ સરહદ પર પોતાની કાર્યવાહી ચાલુ રાખે છે તો તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત...' અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
શાંતિ જાળવવા માટે આનું પાલન જરૂરી
ADVERTISEMENT
આ કરાર પછી પણ જો કોઈ દેશ સરહદ પર કોઈ આક્રમક કાર્યવાહી કરે છે અથવા ગોળીબાર કરે છે, તો તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કહેવામાં આવે છે. શાંતિ જાળવવા માટે આનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને દેશો પરસ્પર સંમતિથી તેનું પાલન કરે અને આ સંધિનો આદર કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આમ નહીં થાય તો બંને વચ્ચે તણાવ વધે છે અને યુદ્ધની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.