બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / Only asked for breath, Raphael did not ask: well-known poet angry at Modi government
ParthB
Last Updated: 01:01 PM, 16 May 2021
કવિ કુમાર વિશ્વાસે મોદી સરકારને સંભળાવી આવી વાતો
હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ હાલ પોતાના ગામડામાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે, તેમના ગામડામાં પણ ઑક્સીજનની અછતના કારણે દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. આ કારણને લઈ તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભારતના લોકો તમારી પાસે "ઑક્સીજન માંગ્યો હતો, રાફેલ નહોતું માંગ્યું". આ શબ્દો તેમણે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યા હતા. તેઓ ગુસ્સે થઈ બોલ્યા "આ બેશરમ લોકો આપણને કહી રહ્યા છે કે અમે આ હોસ્પિટલ બનાવી, અમે આ વ્યવસ્થા કરી, પણ જ્યારે તેમના જ ઘર વાળા બીમાર પડે છે ત્યારે તેઓ સરકારી હોસ્પિટલમાં નહીં, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે."
શિક્ષણ વ્યવસ્થા પર પણ બોલ્યા કુમાર વિશ્વાસ
સાથે જ શિક્ષણ વ્યવસ્થા પર બોલ્યા કે જો નેતાઓ કહે છે કે તેમણે શિક્ષણ વ્યવસ્થા સુધારી દીધી છે તો પછી શા માટે તેઓ પોતાના બાળકોને પ્રાઇવેટ અને મોંધી સ્કૂલોમાં ભણાવે છે? તેઓ બનાવે છે સરકારી શાળાઓ અને પોતના બાળકોને મોકલે છે DPSમાં. તમે કોને મૂર્ખ બનાવો છો? હવે દેશના લોકોને લીધે જ તમારી ઓળખાણ છે.
સરકારે લોકોનો આત્મવિશ્વાસ તોડ્યો, લોકોને છેતર્યા
તેમણે આગળ કહ્યું કે રાત્રે આવતા અવાજો ઊંઘવા નથી દેતા, રાત્રે ફોન આવે છે કે બસ અમને બચાવી લો. જો મારા હાથમાં હોત તો ખબર નહીં હું એમને શું આપી શકું? પણ એ લોકો શું માંગી રહ્યા હતા? એ લોકો તો માત્ર શ્વાસ માંગી રહ્યા હતા, ઑક્સીજન માંગી રહ્યા હતા. તેમણે ક્યાં તમારી પાસે કોઈ હવામાં ઉડતું રાફેલ માંગ્યું હતું. પણ તમે ઑક્સીજન ના આપી શક્યા, કેટલા બેશરમ છો તમે" વધુ માં તેમણે કહ્યું કે નેતાઓ આપણી વચ્ચેથી જ આવે છે, એટલે હવે આ નેતાઓને સુધારવા પડશે. તેમણે હાથ જોડીને નેતાઓને વિનંતી કરી કે ગામડાઓને બચાવી લો. જેમણે તમને વોટ આપ્યો, ટેક્સ આપ્યો, તમે એ લોકોનો આત્મવિશ્વાસ તોડ્યો, તમે એ લોકોને છેતર્યા, આ બધો જ હિસાબ ભગવાન કરશે. મતદારોને તો તમે હિન્દુ મુસલમાનમાં વ્યસ્ત રાખ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT