ઓમિક્રોન દેશમા ધીરે ધીરે પગ પસારી રહ્યા છે. રોજ કોઈ ન કોઈ રાજ્યમાં ઓમિક્રોનના મામલા નોંધવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ક્રિસમસ અને નવા વર્ષના આગમન વચ્ચે મુંબઈ પોલીસ 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી શહેરમાં 144 કલમ લાગૂ કરશે.
તહેવારમાં કોઈ મોટા આયોજનની પરવાનગી નહીં આપવામાં આવે
સાથે તહેવાર દરમિયાન કોઈ મોટા આયોજનની પરવાનગી નહીં આપવામાં આવે. મુંબઈ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે કોઈ કાર્યક્રમમાં ફક્ત 50 ટકા લોકો જ સામેલ હોવાની પરવાનગી આપવામાં આવશે. સાથે જ કોરોનાની રસી પર ભાર મુકવામાં આવ્યો.
સાર્વજનિક સભાઓનાં આયોજન પર પ્રતિબંધ રહેશે
કલમ 144 હેઠળ 5 અથવા આનાથી વધારે વ્યક્તિ એક સ્થાન પર એકત્ર ન થઈ શકે સાથે સાર્વજનિક સભાઓનાં આયોજન પર પ્રતિબંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દુકાન, પ્રતિષ્ઠાન, મોલ, કાર્યક્રમ અને સભાઓમાં સંપૂર્ણ રીતે રસીકરણ વાલા વ્યક્તિ હોવા જોઈએ અને આવી જગ્યાઓ પર તમામ આવનારા તમામ લોકો અને ગ્રાહકોને રસી લગાવવામાં આવશે.
રસીકરણ કરાવી ચૂકેલા લોકો જ સાર્વજનિક વાહનોમાં પ્રવાસ કરી શકશે
તેમજ રસીકરણ કરાવી ચૂકેલા લોકો જ સાર્વજનિક વાહનોમાં પ્રવાસ કરી શકશે. મહારાષ્ટ્રમાં પ્રવાસ કરનારા તમામ વ્યક્તિઓનું સંપૂર્ણ રસીકરણ થયેલું હોવું જોઈએ. અથવા 72 કલાક પહેલા આરટી પીસીઆર પરિક્ષણનો રિપોર્ટ હોવો જોઈએ.
શું છે સ્થિતિ
મુંબઈમાં બુધવારે કોરોનાના 238 નવા મામલા સામે આવ્યા. આ સાથે સંક્રમિતોની સંખ્યા 7,65,934 થઈ. જો કે આ દિવસે વાયરસના કારણે કોઈ મોત નથી થયુ. શહેરમાં મરનારાની સંખ્યા 16, 360 છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટના 32 મામલા સામે આવ્યા છે. જેમાં મુંબઈ પણ સામેલ છે.