બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Hiralal
Last Updated: 08:01 PM, 6 November 2023
વર્લ્ડ કપની સેમી ફાઈનલની રેસ ઝડપી બની છે. હાલમાં ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને બાકીની બે જગ્યા માટે 6 ટીમ વચ્ચે જંગ ચાલુ જ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે ટીમ ઈન્ડીયા પહેલી સેમી ફાઈનલ રમશે. આમ તો ટીમ ઈન્ડીયાનું વાનખેડે સ્ટેડિયમમાં સેમી ફાઈનલમાં રમવું નક્કી છે પરંતુ તે બદલાઈ શકે છે તેને માટે એક સ્થિતિ જવાબદાર ગણાશે.
પાકિસ્તાની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થાય તો ભારતની મેચનું સ્થળ બદલાઈ શકે
સતત 8 જીત સાથે ટીમ ઈન્ડીયા ગ્રુપ સ્ટેજમાં નંબર-1ના સ્થાને છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડેમાં રમાવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને મુંબઈમાં પોતાની સેમીફાઈનલ મેચ રમવાની છે. પરંતુ જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થાય અને તેઓ ચોથા સ્થાન પર રહે તો ટીમ ઈન્ડિયાની મેચનું સ્થળ બદલાઈ જશે. પ્રથમ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો પોઈન્ટ ટેબલમાં નંબર-4ની ટીમ સામે થશે. નંબર-4 પર પહોંચવા માટે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો વચ્ચે આકરી સ્પર્ધા છે. જો પાકિસ્તાન નંબર-4 પર રહેશે તો તેનો સામનો ભારત સામે થશે. આ સ્થિતિમાં આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.
ક્વોલિફાયના કિસ્સામાં પાકિસ્તાનને મુંબઈમાં કેમ નહીં રમાડાય સેમી ફાઈનલની મેચ
હકીકતમાં મુંબઈમાં 2008માં આતંકી હુમલો થયો હતો જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષિય શ્રેણી રમવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ખેલાડીઓને મુંબઈમાં ઉતરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે તો તેની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં યોજાશે, પછી ભલેને ટેબલમાં નંબર ગમે તે હોય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ