બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / No one can go to these five beautiful places of India even if they want to, because you will be shocked to know
ParthB
Last Updated: 05:04 PM, 17 October 2021
ભારતમાં કેટલીક જગ્યાઓ પર ભારતીય નાગરિકોને ફરવાની મંજૂરી નથી
શું તમે જાણો છો કે, ભારતમાં કેટલીક જગ્યાઓ પર ભારતીય નાગરિકોને ફરવાની મંજૂરી નથી. હકીકતમાં, ભારતના ઘણાં સ્થળોએ, સુરક્ષા અને વિવાદિત વિસ્તારોના દ્રષ્ટિકોણના કારણે કોઈને ત્યાં જવાની મંજૂર નથી જો કે, તસવીરોમાં આ સ્થળોનો સુંદર નજારો જોયા બાદ દરેકના મનમાં ચોક્કસપણે અહીં જવાની ઈચ્છા થશે
નોર્થ સેન્ટિનેલ ટાપુ આંદામાન
નોર્થ સેન્ટિનેલ ટાપુ આંદામાનનો એક ટાપું છે. આ સ્થાન આંદામાન સમુદ્રની ઉંડાઈમાં ટેકટોનિક પ્લેટોની મધ્યમાં આવેલું છે. તે દૂરથી જોઈ શકાય છે. પરંતુ સુરક્ષાના કારણોસર અહીં કોઈને જવાની મંજૂરી નથી.
પૈગોંગ ત્સોના ઝીલનો ઉપરનો ભાગ
લદ્દાખમાં પૈગોંગ ત્સોનો ભારતના સૌથી પ્રસિદ્ધ પ્રવાસન સ્થાળોમાંનું એક છે. આ વિસ્તારોનો મોટો ભાગ તળાવથી ઘેરાયેલો છે. જે પ્રવાસીઓ માટે દુર્ગમ છે. લગભગ 50 ટકા તળાવ વિવાદિત વિસ્તારોમાં આવે છે. અહીં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ભારતને ચીનના નિયંત્રિત ભાગથી અલગ કરે છે. તમે ફક્ત ભારતના ભાગની મુલાકાત લઈ શકો છો.
બેરેન ટાપુ આંદામાન
ભારતનો એક માત્ર જ્વાળામુખી બેરેન ટાપુ પર્ સ્થિત છે. જે આંદામાન સમુદ્રમાંમ સક્રિય ટેકટોનિક પ્લેટોની વચ્ચે સ્થિત છે. જો કે, જહાજ અથવા ક્રુઝ પરથી પસાર થતાં તમે આ ટાપુનો નજારો જોઈ તો શકો છો પરંતુ ટાપુ પર કોઈને ઉતરવાની મંજૂરી નથી
લક્ષ દ્વીપના કેટલાક ટાપુઓ
લક્ષદ્વીપમાં લગભગ 36 ટાપુઓ છે, જો કે, પ્રવાસીઓ અહીં માત્ર એક જ ટાપુની મુલાકાત લેવા માટે મુક્ત છે. સ્થાનિક લોકોના હિતોને ધ્યાનમાં રાખીને, અહીંના ઘણા ટાપુઓ પ્રવાસીઓની પહોંચની બહાર છે. આ સ્થળ મુખ્ય નૌ સેનિક મથક પણ છે. તેથી સુરક્ષા કારણોસર પણ અહીં કોઈને જવાની મજૂરી નથી. અગાતી, બાંગારામ, કદમત, કાવરાટ્ટી અને મનિકોય ટાપુ જેવા સ્થળોની મુલાકાત લેવા માટે અહી પરવાની લઈ શકાય છે.
બાર્ક મુંબઈ
બાર્ક એટલે ભારતનું મોટું પરમાણું સંશોધન કેન્દ્વ હોવાથી સુરક્ષાના કારણોસર અહીં મુલાકાત લઈ શકતી નથી. સરકારી સંસ્થાઓની પરવાનગી પછી જ સંશોધકો અથવા વિદ્યાર્થીઓ અહીં જઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT