બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવું વર્ષ 2026 તમારા માટે લઈને આવી રહ્યું છે 3 સારા સમાચાર

કામની વાત / નવું વર્ષ 2026 તમારા માટે લઈને આવી રહ્યું છે 3 સારા સમાચાર

Nirav Kumar

Last Updated: 12:45 AM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષ એટલે કે, વર્ષ 2026થી નાગરિકો માટે અનેક નિયમો બદલવાના છે. જે તેમને રાહત આપવાનું કામ પણ કરશે.

1 જાન્યુઆરી 2026થી અનેક નવા નિયમ લાગુ થવાના છે. જેમાં આમ જનતાને લાભ થશે. જેમાં ગેસના ભાવ, ટ્રેન રિઝર્વેશન ચાર્ટ- ટ્રેનોમાં વેઇટિંગ, NPSમાંથી 80% રકમ ઉપાડવાની મંજૂરી સહીતના ફેરફાર થશે. ચાલો તેના વિષે ડીટેલમાં જાણીએ.

  • CNG - PNG ના ભાવમાં ઘટાડો

નવા વર્ષમાં CNG ના ભાવમાં બે થી અઢી રૂપિયા અને PNG ના ભાવમાં લગભગ બે રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કેમ કે, PNGRBએ કુદરતી ગેસ પરિવહન શુલ્કને  તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2026ની શરૂઆતમાં પરિવહન શુલ્ક માટે હવે ફક્ત બે ઝોન રહેશે. અત્યાર સુધી, ગેસ પરિવહન શુલ્કને અંતરના આધારે ત્રણ ભાગમાં વહેંચવામાં આવતા હતા. હવે તેને બે ઝોનમાં વિભાજિત કરાયા છે. અગાઉ 200 કિલોમીટરથી 1200 કિલોમીટર માટે શુલ્ક 42 થી 107 રૂપિયા સુધીનો હતો. આ તેને ઘટાડીને 54 રૂપિયા કરાયું છે. આ ટેરિફ એકીકરણથી દેશમાં કાર્યરત 40 શહેર ગેસ ,ઈસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા આવરી લેવામાં આવતા 312 વિસ્તારોના ગ્રાહકોને ફાયદો થશે.

  • ટ્રેનોમાં વેઇટિંગ અને RAC ટિકિટ મુસાફરો માટે રાહત
    નવા વર્ષમાં ટ્રેનોમાં વેઇટિંગ અને RAC ટિકિટ મુસાફરો માટે રાહતની ખબર છે. રેલવે બોર્ડે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં ટ્રેન રિઝર્વેશન ચાર્ટ 10-12 કલાક અગાઉ તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયથી મુસાફરો જાણી શકશે કે તેમની ટિકિટ કન્ફર્મ છે કે નહીં. દૂરના વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પર મુસાફરી કરતા મુસાફરો માટે આ સુવિધાજનક રહેશે. અગાઉ ટ્રેનના પહોંચવાના ચાર કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ અંતિમ સ્વરૂપ આપવામાં આવતા હતા જેના કારણે મુસાફરોને મોટી અસુવિધા થતી હતી. નવા નિયમમાં  સવારે 5 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલતી ટ્રેનો માટે રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસે રાત્રે 8 વાગ્યે તૈયાર કરાશે.
vtv app promotion
  • NPSમાંથી 80% રકમ ઉપાડવાની મંજૂરી

નવા વર્ષમાં PFRDA એ નિયમોમાં મોટો ફેરફાર થશે જે NPS (નેશનલ પેન્શન સ્કીમ) રોકાણકારોને રાહત આપશે. જેમાં હવે બિન-સરકારી NPS ખાતાધારકોએ તેમના ફંડનો માત્ર 20% વાર્ષિકી (પેન્શન યોજના) માં રોકાણ કરવાનો રહેશે. બાકીના 80% ફંડ એક સાથે અથવા હપ્તામાં ઉપાડી શકાય છે. આ સિવાય 8 લાખ રૂપિયા સુધીની કુલ રકમ માટે સંપૂર્ણ ઉપાડની મંજૂરી હશે.  અગાઉના જુના નિયમો મુજબ  બિન-સરકારી NPS રોકાણકારોને તેમના ફંડનો 60% ઉપાડવાની મંજૂરી હતી અને 40% પેન્શન યોજનામાં જમા કરાવવાની જરૂર હતી. પેન્શન યોજનામાં આ 20% ફાળો એવા લોકો માટે ઉપલબ્ધ રહેશે જેમણે NPS સેવાના ઓછામાં ઓછા 15 વર્ષ પૂર્ણ કર્યા હશે. આ નિયમ 60 વર્ષની ઉંમરે કે નિવૃત્તિ પર પણ લાગુ થશે.

વધુ વાંચો : ટ્રેનમાં વધારાનો સામાન લઈ જવો પડશે મોંઘો, રેલવે મુસાફરીનો નવો નિયમ જાહેર

ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીઓ માટે નિયમો સમાન રહે છે. તેમાં જો NPS ફંડ 60 વર્ષની ઉંમરે 5 લાખ રૂપિયા કરતા ઓછું હોય તો સંપૂર્ણ રકમ એક સાથે ઉપાડી શકાય છે. જો આ ફંડ 5 લાખ રૂપિયાથી વધુ હોય તો 40 ટકા રકમ એન્યુટી પ્લાન ખરીદવો જરૂરી રહેશે અને બાકીની રકમ ઉપાડી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Year Rule RAC Ticket Natural Gas
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ