બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Politics / NCP collapses but CM's heart rate rises in this state: Is the government going to change in 72 hours?
Priyakant
Last Updated: 02:06 PM, 5 July 2023
મહારાષ્ટ્રમાં NCPમાં ઘમાસાણ બાદ હવે બિહારની મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, બિહારના મુખ્યમંત્રી અને તેમના એક ખાસ વ્યક્તિની ગુપ્ત બેઠક ભારે ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ બિહારના CM નીતિશ કુમાર અને તેમના ખાસ વિશ્વાસુ હરિવંશ નારાયણ સિંહ વચ્ચે એક ગુપ્ત બેઠક મળી હતી. જોકે અહીં એ પણ નોંધનીય છે કે, ચર્ચા મુજબ હરિવંશ નારાયણ સિંહ PM મોદીની પણ નજીકના કહેવામાં આવે છે. જોકે મહારાષ્ટ્રની હલચલ વચ્ચે નીતિશ કુમાર સાથેની બેઠક બાદ સવાલો ઊભા થયા છે કે, શું બિહારમાં સરકાર બદલાશે? શું આગામી 72 કલાકમાં બિહારના રાજકીય પવનની દિશા બદલાશે?
બિહારમાં CM નીતિશ કુમાર અને તેમના ખાસ અંગત કહેવાતા હરિવંશ નારાયણ સિંહ વચ્ચે એક ગુપ્ત બેઠક મળી હતી. આ બેઠક બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે આ સવાલનો જવાબ અત્યારે કોઈની પાસે નથી, પરંતુ અટકળોનું બજાર ગરમ છે. હકીકતમાં સોમવારે મોડી રાત્રે નીતિશ કુમારે તેમના એક લેફ્ટનન્ટ સાથે 'ગુપ્ત' બેઠક કરી હતી.
બિહારમાં એક મીટિંગ અને ઊભા થયા અનેક સવાલો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે મોડી રાત્રે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને નેતાઓની બેઠક એક આને માર્ગમાં થઈ હતી. સૂત્રોનું માનીએ તો બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ગુપ્ત બેઠક ચાલી હતી. નીતિશ કુમાર અને હરિવંશની મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી છે. જોકે નોંધનીય છે કે, સોમવારે જ લેન્ડ ફોર જોબ્સ કેસમાં CBIની નવી ચાર્જશીટમાં ડેપ્યુટી CM તેજસ્વી યાદવનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ત્યારથી અટકળોનું બજાર ગરમ છે.
રાજકીય ચર્ચાએ જોર પકડ્યું
વાસ્તવમાં હરિવંશ નારાયણ સિંહ બિહારના CM નીતિશ કુમારના વિશ્વાસુઓમાંના એક છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં આ બેઠકના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, નીતીશ કુમારે તેમનું ટ્રમ્પ કાર્ડ રમી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કેમ મુખ્યમંત્રી નીતિશ કુમારે હરિવંશ નારાયણ સિંહને PM મોદીને સંદેશો આપવા માટે જ પટના બોલાવ્યા હતા.
ગુપ્ત બેઠક અને હરિવંશ દિલ્હી જવા રવાના થયા
બિહારની રાજનીતિ સમજનારાઓ માને છે કે, નીતિશ કુમાર RJDના દબાણમાં છે. તેમના પર તેજસ્વીને જલ્દી મુખ્યમંત્રી બનાવવાનું દબાણ છે. આવી સ્થિતિમાં હવે નીતિશ કુમારે હરિવંશને બોલાવ્યા. નીતીશ કુમારના આગ્રહથી સોમવારે તેઓ મોડી સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમારને મળ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ પછી હરિવંશ સિંહ સીધા દિલ્હી જવા રવાના થયા. આ બેઠક એટલી ગુપ્ત હતી કે, મીડિયાના કેમેરા પણ હરિવંશને પકડી શક્યા ન હતા.
શું બહાર નીકળવાની યોજના ?
બંને નેતાઓની આ મુલાકાતનો રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યો છે. રાજકીય પંડિતો માને છે કે નીતિશ કુમાર રાજકીય રીતે ઘેરાયેલા છે. એક તરફ ભાજપ તેમના પર સતત પ્રહારો કરી રહ્યું છે. બીજી તરફ RJD સુપ્રીમો લાલુ પ્રસાદનું રાજકીય દબાણ અલગ છે. મતદારોનો મોટો સમૂહ પણ JDU-RJD ગઠબંધનને સ્વીકારી રહ્યો નથી. સૌથી મોટી વાત એ છે કે, હવે નીતીશની હાંક પણ સત્તામાં નબળી પડી રહી છે. તેથી નીતીશ કુમાર સન્માનજનક બહાર નીકળવા માટે જોઈ રહ્યા છે. એવી જોરદાર ચર્ચા છે કે, નીતીશ કુમાર ફરી એકવાર પલટવાર કરવાનું વિચારી રહ્યા છે!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime