બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પૂર્વ CJIની નિવૃત્તિના 8 મહિના પછી એવું તો શું બન્યું કે, સુપ્રીમ કોર્ટે સરકારને પત્ર લખવો પડ્યો
Last Updated: 02:18 PM, 6 July 2025
Former CJI DY Chandrachud: સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના અત્યાર સુધી સરકારી નિવાસસ્થાનમાં રહેવા અંગે કડક વલણ દાખવ્યું છે. કોર્ટ વહીવટીતંત્રે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખીને ચંદ્રચુડને આવાસ ખાલી કરવા જણાવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે નિયમો અનુસાર, નિવૃત્તિ પછી કોઈ પણ વ્યક્તિ આટલા લાંબા સમય સુધી સરકારી આવાસમાં રહી શકતું નથી.
ADVERTISEMENT

ચંદ્રચુડ 2 વર્ષ સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા બાદ 10 નવેમ્બર 2024 ના રોજ નિવૃત્ત થયા હતા. પદ પર રહીને, તેમને મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાન તરીકે 5 કૃષ્ણ મેનન માર્ગ બંગલો મળ્યો હતો. આ ટાઇપ 8 બંગલો છે. નિવૃત્તિ પછી, તેમને નિયમો અનુસાર હંગામી નિવાસસ્થાન તરીકે ટાઇપ 7 બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્રને વિનંતી કરી અને 30 એપ્રિલ 2025 સુધી 5 કૃષ્ણ મેનન માર્ગ બંગલામાં રહેવાની પરવાનગી લીધી. આ સમયગાળો પૂર્ણ થયા પછી પણ, વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ તેમને 31 મે સુધી નિવાસસ્થાનમાં રહેવાની મંજૂરી આપી હતી.
ADVERTISEMENT

સરકારને લખેલા પત્રમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટ પ્રશાસન દ્વારા લખાયેલા પત્ર મુજબ, ચંદ્રચુડે નિવૃત્તિના 8 મહિના પછી પણ બંગલો ખાલી કર્યો નથી. તેમની વિનંતી પર, સુપ્રીમ કોર્ટે તેમને 31 મે સુધી બંગલામાં રહેવાની મંજૂરી આપી હતી. તે સમયગાળો પણ સમાપ્ત થઈ ગયો છે. નવા ન્યાયાધીશોને રહેઠાણ ફાળવવામાં સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, પૂર્વ CJI પાસેથી તાત્કાલિક બંગલો ખાલી કરાવવામાં આવે.
આ પણ વાંચો: હવે સુપ્રીમ કોર્ટમાં OBCને મળશે અનામત, CJI એ 64 વર્ષ જૂના નિયમમાં કર્યો સૌથી મોટો ફેરફાર
ADVERTISEMENT
જણાવી દઈએ કે 5 કૃષ્ણ મેનન માર્ગ સત્તાવાર રીતે ચીફ જસ્ટિસનું નિવાસસ્થાન છે, પરંતુ ચંદ્રચુડ પછી ચીફ જસ્ટિસ બનેલા સંજીવ ખન્ના અને વર્તમાન ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ તે જ ઘરમાં રહેવાનું યોગ્ય માન્યું જેમાં તેઓ અત્યાર સુધી રહેતા હતા. આ કારણોસર પણ ચંદ્રચુડને લાંબા સમય સુધી સરકારી નિવાસસ્થાનમાં રહેવાની તક મળી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.