બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:19 AM, 17 July 2025
Chhattisgarh Child Sacrifice: છત્તીસગઢના બલરામપુરમાં અંધશ્રદ્ધાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળનારને છાતીના પાટિયા બેસી જાય. હજુ પણ આપણે ત્યાં 'દેવતાને ખુશ કરવા' અંધશ્રદ્ધાના ભાગરૂપે જે રીતે બલિ આપવામાં આવે છે. તે ખુબ નિરાશાજનક છે. બલરામપુરનો જે કિસ્સો સામે આવ્યો છે તેમાં એક સગા બાપે એવું કૃત્ય કર્યું છે કે દરેકને હચમચાવી નાખ્યા છે.
ADVERTISEMENT
બીમાર પુત્રની સારવાર માટે બલિદાન
છત્તીસગઢના બલરામપુરમાં એક પિતાએ પોતાના બીમાર પુત્રની સારવાર માટે ત્રણ વર્ષના બાળકનું બલિદાન આપી દીધું. 'ભગવાનને ખુશ કરવા'ના નામે આરોપીએ માસૂમ બાળકનું ગળું કાપી નાખ્યું અને શરીરને બાળી નાખ્યા પછી તેનું માથું દાટી દીધું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે.
ADVERTISEMENT
બલરામપુર જિલ્લામાંથી પ્રકાશમાં આવેલી અંધશ્રદ્ધાનો આ કિસ્સો હ્રદયદ્રાવક છે. અહીં એક વ્યક્તિનો દીકરો બીમાર હતો. તેનું માનવું હતું કે માનવ બલિદાન આપીને તેમના પુત્રનો ઉપચાર થઈ શકે છે. આ માટે તેણે ત્રણ વર્ષના બાળકને પોતાના ઘરે બોલાવ્યો અને તેનું ગળું કાપીને હત્યા કરી દીધી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને કેસની તપાસ ચાલુ છે.

ADVERTISEMENT
દેવતાને ખુશ કરવા માનવ બલિ
આ કિસ્સો બલરામપુર જિલ્લાના સમરીપથ પોલીસ સ્ટેશન વિસ્તારના કટાઈડી ગામનો છે. પોલીસ પૂછપરછ દરમિયાન અહીં રહેતા આરોપી 40 વર્ષીય રાજુ કોરવા દ્વારા કરવામાં આવેલા ખુલાસા હૃદયદ્રાવક છે. રાજુનો દાવો છે કે તેનો પુત્ર વાઈ અને માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે. સ્થાનિક તાંત્રિકોની સલાહ પર તેમણે 'મહાદની દેવતા'ને પ્રસન્ન કરવા માટે માનવ બલિ આપવાનું નક્કી કર્યું.
ADVERTISEMENT
રાજુને ખાતરી હતી કે જો તે દેવતાને માનવ બલિ આપશે તો તેનો પુત્ર સંપૂર્ણપણે સાજો થઈ જશે. આ અંધશ્રદ્ધામાં ફસાઈને તેણે ત્રણ વર્ષના માસૂમ બાળકની ક્રૂરતાથી હત્યા કરી.
પોલીસના જણાવ્યા અનુસાર 1 એપ્રિલના રોજ સુલુંગડીહ ગામનો રહેવાસી બાળક ઝાલબાસા જંગલ પાસે રમતી વખતે ગુમ થઈ ગયો હતો. પરિવારે 6 એપ્રિલે સમરીપથ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસને રાજુ કોરવા પર શંકા ગઈ. જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ચોંકાવનારી હકીકત જાહેર કરી.
ADVERTISEMENT
માસૂમ બાળકને બિસ્કીટ આપી લલચાવ્યો
આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે પહેલા માસૂમ બાળકને મીઠાઈ અને બિસ્કિટ આપીને તેના ઘરે લલચાવ્યો. પછી તેણે લોખંડના છરી વડે તેનું ગળું કાપીને તેની હત્યા કરી દીધી. હત્યા પછી મૃતદેહને એક કોથળામાં ભરીને નજીકના ગટરમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને બાળી નાખવામાં આવ્યો હતો. માથું ઘરમાં છુપાવી દેવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ પછી જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આરોપીઓએ આપેલી માહિતીના આધારે પોલીસે માથું, હત્યામાં વપરાયેલ લોખંડની છરી અને શરીરના બળી ગયેલા અવશેષો કબજે કર્યા. આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસ અધિક્ષક વૈભવ બેંકરે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.