બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:04 AM, 3 December 2025
Jharkhand Politics : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન 28 નવેમ્બરની મોડી રાત્રે દિલ્હી માટે રવાના થયા. તેમની આ અચાનક મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો ફેલાઈ. ખાસ કરીને ત્યારે જ્યારે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન દ્વારા JMM ને એક પણ બેઠક આપવામાં આવી ન હતી અને તેમાં રહેલી નારાજગી ખુલ્લી પડી હતી. આ પૃષ્ઠભૂમિ ઉપર હેમંત સોરેન અને ધારાસભ્ય કલ્પના સોરેનની દિલ્હી મુલાકાતે ચર્ચાઓને વધુ જોર આપ્યું. કેટલાકે તો એટલું સુધી કહી દીધું કે BJP હાઇકમાન્ડ સાથે તેમની મુલાકાત ઝારખંડની રાજનીતિને બદલાવી દેશે. પરંતુ આ બધું માત્ર રાજકીય અફવા જ નીકળી.
ADVERTISEMENT
JMM નું સ્પષ્ટીકરણ: “ઝારખંડ ઝુકશે નહીં”
JMMના મહામંત્રી વિનોદ પાંડેએ તમામ અટકળોનો અંત લાવતા કહ્યું કે, મુખ્યમંત્રીની દિલ્હી યાત્રા " વ્યક્તિગત" હતી અને તેમાં કોઈ રાજકીય એંગલ નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, BJP માત્ર કાવતરું ઘડી રહી છે અને ભ્રમ ફેલાવી રહી છે. JMM એ ત્રણ શબ્દો સાથે પોતાનું વલણ જાહેર કર્યું કે, “ઝારખંડ ઝુકશે નથી.” આ શબ્દોએ માત્ર અફવાઓ પર પાણી ફેરવી દીધું નહીં પરંતુ ભાજપને સ્પષ્ટ સંદેશ પણ આપ્યો કે, ઝારખંડમાં લોકશાહીનો અપમાન ચાલશે નહીં.
ADVERTISEMENT
झारखंड झुकेगा नहीं - हेमंत सोरेन नाम ही काफी है। संघर्ष से सीखा है, सेवा से जीता है, और न्याय के लिए लड़ना भी आता है। जनता का भरोसा ढाल बनकर खड़ा है - इसलिए विपक्षियों का होश उड़ा हुआ है।@HemantSorenJMM @JMMKalpanaSoren @JmmJharkhand pic.twitter.com/8nVF7xGIkj
— JMM Youth Wing (@yuvamorchajmm) December 2, 2025
JMM યુવા વિંગે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે, હેમંત સોરેન નામ પૂરતું છે. તેમણે સંઘર્ષથી શીખ્યું છે, સેવાથી જીત્યા છે અને ન્યાય માટે કેવી રીતે લડવું તે જાણે છે.
ADVERTISEMENT

બિહાર ચૂંટણીનો ગુસ્સો
ADVERTISEMENT
જો કે આ અટકળોના સાચા બીજ બિહાર વિધાનસભા ચૂંટણીમાં છે. ઝારખંડમાં JMM એ RJD ને બેઠકો આપી, પરંતુ જ્યારે બિહારની વાત આવી ત્યારે JMM ને એકપણ બેઠક આપવામાં આવી ન હતી. આથી JMM નેતાઓમાં રોષ હતો અને તે જ કારણે હેમંત સોરેનની દિલ્હી યાત્રા પર સવાલો વધુ ઊભા થયા.
ADVERTISEMENT
ભાજપનું નિવેદન: અલગ વિચારધારાઓ, એકતા શક્ય નહીં
ભાજપના રાજ્ય પ્રવક્તા પ્રતુલ શાહદેવે કડક શબ્દોમાં કહ્યું કે, ભાજપ અને JMM બે અલગ કિનારા છે, ક્યારેય મળીને કામ કરી શકે નહીં. તેમણે આરોપ મુક્યો કે, JMM તુષ્ટિકરણની રાજનીતિ કરે છે અને બંને પક્ષોની વિચારધારા એક થઈ જ જ શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.