બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:23 PM, 2 March 2026
EPF Interest Rate : EPFO વ્યાજ દરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં Employees' Provident Fund Organisation દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે ભવિષ્ય નિધિ (EPF) પર 8.25% વ્યાજ દર જાળવી રાખવાની ભલામણ કરવામાં આવી છે. એટલે કે સરળ શબ્દોમાં સમજીએ તો સતત ત્રીજા વર્ષે ખાતાધારકોને આ જ દરે વ્યાજ મળશે. નવી દિલ્હીમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
CBT recommends 8.25% rate of interest on EPF to its subscribers for FY 2025-26.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 2, 2026
Despite global uncertainties, EPFO continues its strong track record, consistently delivering over 8% interest for the past several years, ensuring stable and attractive returns for its crores of… pic.twitter.com/btvuSHdBix
શું છે આ નિર્ણયનો અર્થ?
ADVERTISEMENT
હવે જો આપણે આ નિર્ણયને સરળ શબ્દોમાં સમજીએ તો, EPFમાં બચત કરતા લાખો-કરોડો કર્મચારીઓ માટે આ સારા સમાચાર છે. વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરાયો નથી. સરકારની અંતિમ મંજૂરી મળ્યા બાદ દેશભરના 7 કરોડથી વધુ સભ્યોના ખાતામાં 8.25% ના દરે વ્યાજ જમા થશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ એ કરી હતી. હવે બોર્ડની ભલામણ નાણા મંત્રાલયને મોકલાશે અને મંજૂરી બાદ દર અમલમાં આવશે.

ADVERTISEMENT
શું તમે જાણો છો EPF વ્યાજ કેવી રીતે મળે છે?
ઘણા લોકોમાં પ્રશ્ન હોય છે કે EPFનું વ્યાજ ગણતરી કેવી રીતે થાય છે? EPFO દર મહિને તમારા ખાતામાં જમા થતી રકમ પર વ્યાજની ગણતરી કરે છે. પરંતુ આખા વર્ષનું વ્યાજ નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ એકસાથે જમા થાય છે. એટલે કે, તમે નિયમિત યોગદાન આપતા રહેશો તો વર્ષના અંતે તમને વ્યાજની સંપૂર્ણ રકમ મળશે. જો ખાતું 36 મહિના સુધી નિષ્ક્રિય રહે, તો તે પર વ્યાજ મળતું બંધ થઈ શકે છે. તેથી ખાતું સક્રિય રાખવું ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ''વેસ્ટ એશિયામાં વર્તમાન હાલત...'', મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન
છેલ્લા વર્ષોમાં વ્યાજ દરનો ટ્રેન્ડ
ADVERTISEMENT
જો આપણે છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો વ્યાજ દરમાં થોડી વધઘટ જોવા મળી છે. 2021-22માં વ્યાજ દર ઘટીને 8.10% થયો હતો. 2023-24માં તેને વધારીને 8.25% કરવામાં આવ્યો. હવે 2025-26 માટે પણ 8.25% જાળવવામાં આવ્યો છે. નિષ્ણાતો માને છે કે, હાલની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંતુલિત નિર્ણય છે. આ દર બેંકની સામાન્ય ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ આકર્ષક માનવામાં આવે છે અને સુરક્ષિત પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.