બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''વેસ્ટ એશિયામાં વર્તમાન હાલત...'', મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન

પ્રતિક્રિયા / ''વેસ્ટ એશિયામાં વર્તમાન હાલત...'', મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન

Jinal Chauhan

Last Updated: 03:35 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને લઈને પીએમ મોદીએ શાંતિ અને વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જ્યારે બે લોકશાહી દેશો સાથે ઉભા રહે છ ત્યારે શાંતિ માટેનો અવાજ વધુ મજબૂત બને છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ શાંતિ અને વાતચીતનો રસ્તો અપનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આ મુશ્કેલીનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિક પ્રયત્નોથી જ શક્ય છે બીજો કોઇ રસ્તો નથી.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વમાં તણાવ ચાલી રહ્યો છે. ભારત હંમેશા શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે અને પોતાના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ભારત બધા દેશો સાથે મળીને કામ કરશે અને તમામ વિવાદોને વાતચીત અને કૂટનીતિથી ઉકેલવાની સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું કે જ્યારે બે લોકશાહી દેશો સાથે ઊભા રહે છે, ત્યારે શાંતિનો અવાજ વધુ મજબૂત બને છે અને વેસ્ટ એશિયામાં હાલની પરિસ્થિતિ ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે.

પીએમ મોદીએ કનેડિયન પ્રધાનમંત્રી કાર્ની સાથે દ્વિપક્ષીય બેઠક પછી જણાવ્યું કે ભારત અને કેનેડાએ યુરેનિયમ પર એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સાથે જ, નાગરિક પરમાણુ સહકારને આગળ વધારવા માટે બંને દેશો નાના મોડીયુલર રિએક્ટરો પર મળીને કામ કરશે.

નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી

પીએમ મોદીએ જણાવ્યું કે સોમવારે અડધી રાતે પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, તેમણે તેમના ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂથી હાલની સ્થિતિ પર વાત કરવા માટે ફોન પર વાત કરી અને તેમણે દુશ્મનીને ખતમ કરવા પર ભાર આપવા કહ્યું. સાથે જ કેન્દ્રિય મંત્રી પ્રલ્હાદ જોશીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત લાવવાની સંપૂર્ણ તૈયારીમાં છે અને આ માટે વિદેશોમાં ભારતીય મિશનો સાથે સંપર્કમાં છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં પણ એલર્ટ! કહ્યું, ''અધિકારીઓ ચિંતિત છે કે...''

કેન્દ્રિય મંત્રી પ્રલ્હાદ જોશીએ કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ જો કન્નડિગા કે અન્ય ભારતીય કોઈ સમસ્યામાં ફસાય છે, તો કેન્દ્ર સરકાર તેમને સુરક્ષિત પરત લાવશે. અગાઉ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પણ લાવવામાં આવ્યા હતા. તેમણે ચિંતિત પરિવારોને જણાવ્યું કે ગભરાવવાની જરૂર નથી સરકાર તમામ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Middle East PM Modi Diplomacy
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ