બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારે LPG ગેસ સબસિડીના નિયમો બદલ્યા, હવે ફક્ત આટલા સિલિન્ડર પર મળશે છૂટ

ઝટકો / સરકારે LPG ગેસ સબસિડીના નિયમો બદલ્યા, હવે ફક્ત આટલા સિલિન્ડર પર મળશે છૂટ

Nirav Kumar

Last Updated: 10:44 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરીબોને મળતી સબસિડી સરકારે બંધ કરી દીધી છે. મતલબ કે,તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં ચોથા બાદ પાંચમો LPG સિલિન્ડર લેશો તો તમને સબસિડી નહીં મળે.

સરકારે ગરીબોને એક ઝટકો આપ્યો છે. જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)માં દેશભરના લાખો પરિવારોને રસોઈ ગેસ પૂરો પાડવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના (PMUY)માં મળતી સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કરી દીધો છે. જેમાં લાભાર્થીઓને હવે દર વર્ષે નવને બદલે માત્ર 4  સિલિન્ડર પર સબસિડી મળશે.

આ સરકારનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધારો થવાને કારણે ઇન્ટરનેશનલ સ્તરે LPGના ભાવમાં મોટો વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇન્ટરનેશનલ માર્કેટમાં LPGના ભાવ એટલા વધી ગયા છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની અસલી કિંમત 1600 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. તેમ છતાં સામાન્ય ગ્રાહકોને 14.2 કિલોગ્રામનો સિલિન્ડર માત્ર 942 રૂપિયામાં મળી રહ્યો છે.

  • માત્ર 4 સિલિન્ડર પર સબસિડી
    મીડિયા અહેવાલ મુજબ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પહેલા 4 સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની વધારાની સબસિડી મળશે, જે સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મતલબ કે, આ લાભાર્થીઓ માટે પહેલા 4 સિલિન્ડરની અસરકારક કિંમત આશરે 642 રૂપિયા હશે. સરકારના મતે આ ઇન્ટરનેશનલ ભાવ કરતાં આશરે 60% સસ્તી છે.
hiring vtv 1
  • શું કહ્યું પેટ્રોલિયમ મંત્રાલયે?
    પેટ્રોલિયમ મંત્રાલયના અધિક સચિવે જણાવ્યું કે માત્ર ઉજ્જવલા ગ્રાહકો જ નહીં પરંતુ સામાન્ય ગ્રાહકોને પણ ઈન્ડાયરેક્ટ સબસિડી મળી રહી છે. જો LPG સિલિન્ડરની અસલી કિંમત 1600 રૂપિયાથી વધુ હોય અને ગ્રાહકો તેને 942 રૂપિયામાં ખરીદી રહ્યા હોય. તો ઉજ્જવલા સિવાયના ગ્રાહકોને પણ પ્રતિ સિલિન્ડર આશરે 700 રૂપિયાની રાહત મળી રહી છે. આ દરમિયાન ઉજ્જવલા લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર આશરે 1000 રૂપિયાનો કુલ લાભ મળી રહ્યો છે.
  • 60,000 કરોડ રૂપિયા સુધીનું નુકસાન
    સરકારી માહિતી મુજબ, સ્થાનિક LPG વેચાણ પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) નું નુકસાન સતત વધી રહ્યું છે. જેમાં 2025-26 નાણાકીય વર્ષના અંત સુધીમાં આ ડેફિસિટ વધીને 60,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે પાછલા વર્ષના 41,338 કરોડ રૂપિયા હતી. આ નુકસાનની ભરપાઈ માટે કેન્દ્ર સરકારે પહેલાથી જ 30,000 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી દીધી છે.

એક્સપર્ટ અનુસાર, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા જિઓ પોલિટિકલ તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડાયેલા જોખમોને કારણે LPG અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધઘટ થઈ શકે છે. આથી સરકારનો સબસિડીનો બોજ પણ વધી રહ્યો છે. આથી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા લિમિટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો : LPG સિલિન્ડર થશે વધુ મોંઘા, કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી જણાવ્યું કારણ

પણ સરકારનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં પણ દેશના લાખો ગરીબ પરિવારોને સબસિડીવાળા દરે ગેસ સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે. પણ દર વર્ષે ફક્ત 4  સબસિડીવાળા સિલિન્ડરની મર્યાદા અનેક પરિવારોના ઘરના બજેટને અસર કરી શકે છે, ખાસ કરીને જેઓ માત્ર LPG પર ડિપેન્ડેડ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Cylinders LPG Gas Gas Subsidy
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ