બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:51 PM, 11 September 2025
વિદેશ પ્રવાસે જતાં લોકોને હવે વધારે સુવિધા મળશે. FTI-TTP હવે 5 નવા એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યું છે. ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સેવાની શરૂઆત કરી છે.
ADVERTISEMENT
આ પહેલ સૌથી પહેલા જુલાઈ 2024માં ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (દિલ્હી) પર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બે મહિનામાં જ આ સેવા મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચ્ચિ અને અમદાવાદ એરપોર્ટ પર શરૂ થઈ હતી.
હવે ગુરુવારે આ સુવિધા લખનઉ, તિરુવનંતપુરમ, તિરુચિરાપલ્લી, કોઝિકોડ અને અમૃતસર એરપોર્ટ પર પણ શરૂ થઈ છે.
ADVERTISEMENT
કુલ કેટલા એરપોર્ટ પર છે આ સેવા?
ADVERTISEMENT
કુલ 13 એરપોર્ટ પર હવે આ સુવિધા ઉપલબ્ધ છે.
The Modi government is constantly enhancing the passenger handling capacity of our airports by equipping them with cutting-edge technologies.
— Amit Shah (@AmitShah) September 11, 2025
Today inaugurated Fast Track Immigration: Trusted Traveller Program in the Lucknow, Thiruvananthapuram, Trichy, Calicut, and Amritsar… pic.twitter.com/RJn127sNnZ
ADVERTISEMENT
અમિત શાહે શું કહ્યું?
"ગૃહમંત્રી અમિત શાહે ડિજિટલ માધ્યમથી યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કહ્યું કે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ ઇમિગ્રેશન પ્રક્રિયાને સરળ, ઝડપી અને અવરોધમુક્ત બનાવે છે. આ કાર્યક્રમનો સૌથી વધુ લાભ OCI કાર્ડધારકો અને વિદેશ પ્રવાસે જતાં ભારતીય નાગરિકોને મળશે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 2.65 લાખ લોકોએ આ સુવિધાનો લાભ લીધો છે."
ADVERTISEMENT
ગૃહમંત્રીએ આ સેવાને અત્યંત ગૌરવનો વિષય ગણાવ્યો છે.
તેમણે આગળ ઉમેર્યું કે,
ADVERTISEMENT
"આજનો દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ વિઝનનો મહત્વનો માઈલસ્ટોન છે, જેમાં ઝડપ, કુશળતા અને સંભાવનાઓને એક જ કાર્યક્રમ હેઠળ જોડવામાં આવી છે."
અન્ય અધિકારીઓએ જણાવ્યું કે,
'આ પ્રોગ્રામ ત્વરિત ઈમિગ્રેશન મંજૂરી સુનિશ્ચિત કરે છે અને અત્યાર સુધીમાં ઈ-ગેટ્સ મારફતે હજારો મુસાફરોને ઝડપી મંજૂરી મળી ચૂકી છે. પી.એમ. મોદીએ હંમેશા કહ્યું છે કે ટેક્નોલોજી સાથે સાથે વિશ્વાસ વધારવાના સાધન તરીકે પણ આપણે કામ કરવું પડશે.'
સેવાનો મુખ્ય હેતુ
FTI-TTP ‘વિકસિત ભારત @2047’ વિઝન હેઠળની એક મહત્વની પહેલ છે. તેનો હેતુ મુસાફરોને વિશ્વસ્તરીય ઈમિગ્રેશન સુવિધાઓ આપવાનો છે, જેથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધુ સરળ અને સુરક્ષિત બની શકે. શરૂઆતમાં આ સેવા ભારતીય નાગરિકો અને OCI કાર્ડધારકો માટે સંપૂર્ણ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કેવી રીતે મળશે લાભ?
વધુ વાંચો : ગણપતિ વિસર્જનમાં CMની પત્ની અમૃતાએ ભડકાઉ કપડાં પહેરતાં વિવાદ, લોકોએ કહ્યું- 'સોનિયા ગાંધી સારાને'?
આ રીતે હવે ભારતના 13 એરપોર્ટ પર મુસાફરોને વિશ્વસ્તરીય ઈમિગ્રેશન સુવિધા મળશે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.