બ્રેકિંગ ન્યુઝ
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
VTV / ગુજરાત / અમદાવાદ / Nardama SOU has seen record-breaking tourist arrivals in 2023. For the first time in 5 years, the number of tourists crossed 50 lakh this year
Dinesh
Last Updated: 01:22 PM, 30 December 2023
Statue of Unity News: ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે ન આવે !. ત્યારે કેવડિયાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન છે અને દર વર્ષે કોઈપણ તહેવાર હોય સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતા હોય છે. આમ ગુજરાતની ચમકમાં વધારો કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની મુલાકાતનો આંકડો SOUના સીઈઓ ઉદિત અગ્રવાલે રજૂ કર્યો છે.
SOU ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા
નર્મદામા SOU ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર પહોંચ્યો છે. હજુ પણ આ વર્ષનો આજનો અને આવતીકાલનો દિવસ બાકી છે ત્યારે 29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાની માહિતી સામે આવી છે. આપને જણાવી દઈએ કે, 5 વર્ષમાં 1 કરોડ 75 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે
ક્યાં વર્ષમાં કેટલા પ્રવાસીઓ મુલાકાત લીધી
વર્ષ 2018 - 4,53,020
વર્ષ 2019 - 27,45,474
વર્ષ 2020 - 12,81,582
વર્ષ 2021 - 34,32,034
વર્ષ 2022 - 45,84,789
વર્ષ 2023 - 50,29,147* ( 29/12/2023 સુધી*)
વાંચવા જેવું: આજથી અમદાવાદનો ફ્લાવર શો શરૂ: ટિકિટ બુક કરાવતા પહેલાં આટલું જાણી લેજો, 150થી વધુ પ્રજાતિના રોપા બનશે આકર્ષણનું કેન્દ્ર
પ્રવાસી વધવાના મુખ્ય કારણો શું હોઈ શકે ?
આપને વધુ વિગતો આપી તો 23 ડિસેમ્બર 2023થી અત્યારસુધી 4 લાખ કરતા વધારે પ્રવાસીઓ નોંધાયા છે. પ્રવાસી વધવાના મુખ્ય કારણો પણ કેટલાક સામે આવ્યા છે. પ્રત્યેક વયજુથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો છે. ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો થયો છે. રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો થયેલો છે. સાથો સાથ રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ ઉપલબ્ધ થયેલી છે. સ્વચ્છ અને સુઘડ કેમ્પસ છે અને સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ થઈ રહ્યો છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ