બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:17 PM, 3 January 2022
ADVERTISEMENT
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સ્થિત એક ગોડાઉનમાં આગ લાગી છે. હાલમાં કોઈ પ્રકારની જાનહાની થયાના સમાચાર નથી. ફાયર વિભાગની 8 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. ગત 7 નવેમ્બરે માનખુર્દ વિસ્તારના મંડલા કબાડ બજારમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન 10 ટેંકર અને 150 કર્મીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
#WATCH | Fire breaks out a godown in Ghatkopar area of Mumbai; eight fire engines rushed to the spot pic.twitter.com/tij8fX23sZ
— ANI (@ANI) January 3, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ભંગારની દુકાનમાં આ આગ લાગી હતી
એવું મનાઈ રહ્યું છે કે આજે સવારે 10.30 વાગે ઘાટકોપરના સ્લમ વિસ્તારમાં એક ફર્નિચરના ભંગારની દુકાનમાં આ આગ લાગી હતી. જે ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં સ્થિત છે. ઘટનાની જાણ થતા પોલીસ, વોર્ડ સ્ટાફ અને એમ્બ્યૂલન્સ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ ધીરે ધીરે આસ પાસના મકાનોમાં ફેલાઈ હતી. જોકે તકેદારીના ભાગ રુપે આ આસપાસના રહીશોને સલામત સ્થળે ખસેડાયા હતા. જો કે હજું સુધી આગનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરુ કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.