બ્રેકિંગ ન્યુઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વર્ષ 2020-21 દરમિયાન પોતાનો પગાર જ નથી લીધો
કંપનીના અન્ય ડાયરેક્ટરોએ લીધો આટલો પગાર
અન્ય બે ડાયરેક્ટરોને પગાર સાથે મળ્યું કરોડોનું કમિશન
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વર્ષ 2020-21 દરમિયાન પોતાનો પગાર જ નથી લીધો
દેશમાં કોરોના મહામારીના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વર્ષ 2020-21 દરમિયાન પોતાનો પગાર જ નથી લીધો. પણ બીજી બાજુ કોરોનાકાળમાં તેમની કુલ નેટવર્થમાં પાછળના વર્ષ કરતાં વધારો થયો છે. રિલાયન્સના શેરના ભાવ વધતાં ગયા અઠવાડિયે જ મુકેશ અંબાણીણી નેટવર્થમાં કુલ 8.2 અરબ ડોલર એટલે કે 52,621 કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની સેલેરીમાં કોઈ પણ વધારો થયો નથી. આ માહિતી તેમની કંપનીમાંથી આવી છે.

ADVERTISEMENT
કંપનીના અન્ય ડાયરેક્ટરોએ લીધો આટલો પગાર
તેમની કંપનીએ બુધવારે આખા વર્ષનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં આ વાતની ઉલ્લેખ કરવામાં આવયાઓ હતો કે મુકેશ અંબાણીએ ગત વર્ષે તેમનો પગાર જ નથી લીધો. સાથે જ શેરધારકોને મુકેશઅંબાણીને પત્ર પણ મોકલ્યો હતો, આ પત્રમાં તેમણે લખ્યું હતું કે કોરોના મહામારીને કારણે ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને દેશની આર્થિક વયવસ્થાને પણ ઘણું નુકશાન પહોંચ્યું છે.

ADVERTISEMENT
અન્ય બે ડાયરેક્ટરોને પગાર સાથે મળ્યું કરોડોનું કમિશન
જો મુકેશ અંબાણીના પગારની વાત કરીએ તો તેમનો વાર્ષિક પગાર 15 કરોડ રૂપિયા છે. કંપનીના જો બીજા અધિકારીઓની વાત કરીએ તો કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિખિલ આર મેસવાનીએ વાર્ષિક 24 કરોડ રૂપિયા પગાર લીધો છે. બીજા ડાયરેક્ટર હિતલ આર મેસવાનીએ વાર્ષિક 24 કરોડ રૂપિયા પગાર લીધો છે. બોર્ડમાં બીજા પણ ડાયરેકટર સામેલ છે જેમાં PMS પ્રસાદને વાર્ષિક 12 કરોડ રૂપિયા, પવન કુમાર કપિલને 4.24 કરોડ રૂપિયા મળ્યા છે. સાથે જ આ બંને ડાયરેકટરોને કમિશન રૂપે 17.28 કરોડ રૂપિયા મળ્યા છે. સાથે તમને એ વાત પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણી દુનિયાના ધનિક લોકોની યાદીમાં 12માં સ્થાન પર છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.