બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / monsoon may hit 10 days earlier on its schedule time expected to reach kerala
Pravin
Last Updated: 12:29 PM, 7 May 2022
કેરલમાં ચોમાસુ 20મે બાદ કોઈ પણ સમયે આવી શકે છે. જે આ વખતે સમય કરતા લગભગ 10 દિવસ વહેલુ આવશે. કેરલમાં ચોમાસાનું આગમન મોટા ભાગે 1 જૂનની આસપાસ થાય છે. આઈએમડીએ એ આશયથી સંકેત પુણે સ્થિત આઈઆઈટીએમમાં વિકસિત મલ્ટી મોડલ એકસટેંડેડ રેંજ પ્રેડિક્શન સિસ્ટ્મનો ઉપયોગ કરીને પોતાના નવીનતમ એક્સટેંડેડ રેંજ ફોરકાસ્ટ દ્વારા આપ્યા છે.
કેરલમાં આવશે જલ્દી ચોમાસુ
IITMના એક નિષ્ણાંતનો હવાલો આપતા એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 1મેથી 5 જૂન માટે 4 અઠવા઼ડીયાની વિસ્તારિત મર્યાદાનું પૂર્વાનુમાન અનુસાર, કેરલમાં ચોમાસાની શરૂઆત 20 મે બાદ કોઈ પણ સમયે થઈ શકે છે. 28 એપ્રિલે જાહેર કરવામા આવેલા ગત ઈઆરએફમાં પણ 19-25 મેનો સમય બતાવામા આવ્યો છે. જો ઈઆરએફ આગામી અઠવાડીયે પણ 20 મે બાદ કેરલમાં આવી રીતની સ્થિતિ દેખાશે, તો નિશ્ચિતપણે કહી શકાય કે, આ તટીય રાજ્યમાં ચોમાસાનું શરૂઆત સમયથી પહેલા થઈ જશે.
હવામાન વિભાગે જણાવી આ વાત
ભારતીય હવામાન વિભાગના નવીનતમ ઈઆરએફ મે 5-11 ( પ્રથમ અઠવાડીયું), 12મેથી 18 (બીજૂ અઠવાડીયું), 19મેથી 25 (ત્રીજૂ અઠવાડીયું) અને 26 જૂનથી 1 (ચોથુ અઠવાડીયું) માટે છે. IITMના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, હાલ માટે કેરલમાં ચોમાસુ જલ્દી શરૂ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. પૂર્વી મધ્ય બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતી તોફાન બની રહ્યું છે. તેને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસાના પ્રવાહને મજબૂત કરવામાં મદદ મળવાની સંભાવના છે. નવીનતમ ઈઆરએફના અનુસાર, આ વેદર સિસ્ટમના ત્રીજા અઠવાડીયાની આસપાસ ચોમાસાના પ્રવાહમાં અડચણ થવાની સંભાવના છે. કારણ કે, ત્યાં સુધી પોતાના પ્રભાવને ખોઈ ચુક્યું હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT