બ્રેકિંગ ન્યુઝ
દેશમાં 9 વાગ્યા સુધી 10.51 ટકા મતદાન નોંધાયું
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
VTV / Politics / manipur terror attack rahul gandhi said modi government is unable to protect the nation
Hiralal
Last Updated: 05:01 PM, 13 November 2021
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે મણીપુરમાં લશ્કરી કાફલા પર થયેલા આતંકી હુમલાથી ફરી એક વાર સાબિત થયું છે કે મોદી સરકાર મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા કરવામાં અસમર્થ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે શહીદોને મારી શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને શોક સંવેદના. દેશ તમારુ બલિદાન યાદ રાખશે.
मणिपुर में सेना के क़ाफ़िले पर हुए आतंकी हमले से एक बार फिर साबित होता है कि मोदी सरकार राष्ट्र की सुरक्षा करने में असमर्थ है।
— Rahul Gandhi (@RahulGandhi) November 13, 2021
शहीदों को मेरी श्रद्धांजलि व उनके परिवारजनों को शोक संवेदनाएँ। देश आपके बलिदान को याद रखेगा।
મણીપુરના મુખ્યમંત્રીએ હુમલાની આકરી ટીકા કરી
મણીપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે પણ આ હુમલાની આકરી ટીકા કરતા જણાવ્યું કે આ કાયરતાપૂર્ક કૃત્યને છોડવામાં નહીં આવે. દોષીઓની સામે કાનૂની કાર્યવાહી કરવાની પૂરી કોશિશ કરીશું. તેમણે કહ્યું કે આ અમનાવીય અને આતંકી કૃત્ય છે. રાજ્ય દળ અને પેરામેલિટરી ફોર્સિસ આતંકવાદીઓને પકડવા માટે ઝડપી કાર્યવાહી કરી રહ્યાં છે.
Strongly condemn the cowardly attack on a convoy of 46 AR which has reportedly killed few personnel including the CO & his family at CCpur today. The State forces & Para military are already on their job to track down the militants. The perpetrators will be brought to justice.
— N.Biren Singh (@NBirenSingh) November 13, 2021
મણીપુરમાં મોટો આતંકી હુમલો, કર્નલ તેમના પરિવાર સહિત 7 શહીદ
મણીપુરના ચુરાચાંદપુર જિલ્લના સિંઘાટમાં આતંકીઓએ આસામ રાઈફલ્સ યુનિટના કાફલા પર મોટો આતંકવાદી હુમલો કર્યો હતો જેમાં સેનાના કર્નલ વિપ્લવ સિંહ તેમની પત્ની, પુત્ર સહિત 7 શહીદ થયા દેશ આખામાં ગમગીની ફેલાઈ હતી. આતંકવાદીઓએ છુપાઈને ઘાત લગાવીને હુમલો કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ