બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:55 PM, 2 March 2025
પ્રયાગરાજમાં 26 ફેબ્રુઆરીએ મહાકુંભ 2025 નું સમાપન થયું, જેમાં 45 દિવસો દરમિયાન લગભગ 66.30 કરોડ શ્રધ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું. મેળાનું સમાપન બાદ, શહેરની રોનક પૂરી થઈ ગઈ અને હવે સંગમ તટ અપેક્ષાકૃત શાંત દેખાય છે.
ADVERTISEMENT
મહાકુંભ સમાપન બાદ ફેલાયો સન્નાટો
વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રયાગરાજનો માહોલ બાદ મહાકુંભ બાદ આખો બદલાઈ થયો છે. જ્યાં પહેલા શ્રદ્ધાળુઓની ભીડ હતી, હવે ત્યાં ફક્ત સન્નાટો ફેલાયો છે. રસ્તા, ઘાટ અને અખાડામાં સોપો પડી ગયો છે. સંગમ તટ પણ ખાલી દેખાઈ રહ્યું છે, જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. અમુક લોકો મેળાની યાદો તાજી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ નજારો જોઈને મન ઉદાસ થઈ ગયું. માનવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિ કુંભ ગયો તે પાછો આવ્યો પરંતુ તેનું મન પાછું નથી આવ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
મેળા દરમિયાન સંગમ ક્ષેત્ર શ્રદ્ધાળુઓથી ભરાયેલું રહેતો હતો
મેળા દરમિયાન સંગમ ક્ષેત્ર શ્રધ્ધાળુઓથી ભરાયેલું રહેતો હતો, પરંતુ હવે ત્યાં સન્નાટો ફેલાઈ ગયો છે. અસ્થાયી તંબુ, જે લાખો શ્રદ્ધાળુઓના આવાસ માટે લગાવવામાં આવ્યા હતા, હવે દૂર કરવામાં આવી રહ્યા છે. આની સાથે સફાઇ કર્મચારી મેળાના અવશેષોને સાફ કરવામાં જોડાયેલા છે જેથી શહેર જલ્દીથી સામાન્ય સ્થિતિમાં આવી શકે.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO : આ પણ જોઈ લેજો, મહાકુંભ પૂરો થયાં પછી તરત બન્યું આવું, લાગી ગઈ કાળની અસર
મેળાના સમાપન બાદ વાહન વ્યવસ્થા સામાન્ય
ADVERTISEMENT
મહાકુંભ દરમિયાન, શહેરમાં ભારે ભીડના કારણે વાહન વ્યવસ્થાને ખૂબ અસર થઈ હતી. સંગમ રેલવે સ્ટેશનને 26 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવ્યું હતું અને પ્રયાગરાજ જંકશન પર યાત્રીઓની અતિશય ભીડ જોવા મળી હતી, પરંતુ હવે મેળાના સમાપન બાદ વાહન વ્યવસ્થા ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે અને શહેરના રસ્તા પર ભીડ ઘટી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.