લોકરક્ષક દળની પરીક્ષા આપવા જનાર ઉમેદવારો વિનામુલ્યે મુસાફરી કરી શકશે. આ માટે ST વિભાગ દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે પરંતુ અમદાવાદમાંથી પરીક્ષા આપવા જનાર ઉમેદવારોની સંખ્યાને જોતા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જે પ્રમાણે ST બસો સિવાય પણ 1 હજાર જેટલી ખાનગી બસો દોડાવવામાં આવશે. જેમનું સંચાલન ગીતા પેલેસ રાણીપ ડેપોથી કરવામાં આવશે.
અમદાવાદ કલેક્ટરે આ અંગે સરકારના ઉચ્ચ અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાંથી 88 હજાર ઉમેદવારો પરીક્ષા આપવા જનાર છે.
ST વિભાગ દ્વારા 300 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ઉમેદવારોની સંખ્યા પ્રમાણે ST બસો ઓછી હોવાથી ખાનગી બસોની વ્યવસ્થા કરાઈ છે.
મહત્વનું છે કે પેપરલીક બાદ આ વખતે પરીક્ષા કડક રીતે લેવામાં આવશે.. સફળતા પૂર્વક પરીક્ષા યોજવા તંત્ર દ્વારા તમામ જિલ્લાના SP રેન્જ IG પોલાસ કમિશનર ST વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.