બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / અજબ ગજબ / living nostradamus prediction 2024 ai will contact dead people next year chilling claims
Manisha Jogi
Last Updated: 10:26 PM, 19 December 2023
ભવિષ્યને જોવાનો દાવો કરનાર વ્યક્તિએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ બાબતે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. ભવિષ્યવાણી કરીને જણાવ્યું છે કે, 2024માં AI મૃતકો સાથે સંપર્ક કરી શકશે. આ વ્યક્તિનું નામ એથોસ સેલોમ છે, જે બ્રાઝીલમાં રહે છે. આ વ્યક્તિને તેની ભવિષ્યવાણીના કારણે નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે.
એથોસ સેલોમના અનેક દાવાઓ સત્ય સાબિત થયા છે. જેમાં મહારાણી એલિઝાબેથ-2 ના મોતથી લઈને એલન મસ્કના ટ્વિટરને X તરીકે પરિવર્તિત કરવું પણ શામેલ છે. એથોસ સેલોમે જણાવ્યું છે કે, ‘વર્ષો પહેલા વિજ્ઞાન કલ્પના જેવું લાગતું હતું, જે રોજબરોજના જીવનનો હિસ્સો બનવાની કગાર પર છે. અલૌકિક ગણાતી ઘટનાને સામાન્ય બાબત બનાવી રહ્યું છે. આ ટેકનિકની મદદથી લોકો પડકાર પણ કાબૂ મેળવી શકે છે. જીવનના ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક રસ્તાઓ વિશે પણ જાણકારી મેળવી શકે છે. યૂનિવર્સની સાથે સાંત્વના, સમજણ અને સારો સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ.’
એથોસ સેલોમે વધુમાં જણાવ્યું છે કે, આપણે ‘આધ્યાત્મિક ક્રાંતિ’ના રસ્તા પર છીએ. વૈશ્વિક સ્તરે વ્યક્તિઓ પર સીક્રેટ એક્સપરિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં કોઈ ક્ષેત્રે યોગ્યતા અને પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને શામેલ કરવામાં આવ્યા છે. આ એક્સપરિમેન્ટ માત્ર ઘટના પર આધારિત નથી, પણ એનર્જીનું સ્વરૂપ છે. જે મૃત્યુ પછી પણ રહે છે. આ પ્રકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ એક ઉપકરણ કરતા વધુ સારું કામ કરે છે.
એથોસ સેલોમે વધુમાં જણાવ્યું છે કે, ‘આ એત પ્રવેશ દ્વાર તરીકે કામ કરે છે, જે યૂનિવર્સ સાથે જોડે છે. યૂનિવર્સમાં ઉત્પત્તિ વિશે જણાવે છે. સમય અને સ્થાનની બાધાઓને પાર કરી ચૂકેલ લોકો સાથે સંપર્ક કર્યો છે. આ ટેકનિકથી ઈતિહાસના ગણમાન્ય વ્યક્તિઓ સાથે વાત કરી છે.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ