બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શ્રાવણના ઉપવાસમાં કેળાં ખાતા હોય તો સાવધાન, ડોક્ટરનું અનુમાન શરીર માટે આફતરૂપ

આરોગ્ય / શ્રાવણના ઉપવાસમાં કેળાં ખાતા હોય તો સાવધાન, ડોક્ટરનું અનુમાન શરીર માટે આફતરૂપ

Published By: Maulik Patel

Last Updated: 10:40 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banana side effect: શું તમી પણ સ્વસ્થ રહેવા માટે રોજ કેળા ખાઓ છે ? તો ચાલો જાણીએ કેળાનું સેવન ક્યારે કરવું જોઈએ અને ન કરવું જોઈએ ડૉક્ટર પાસેથી.

Banana side effect: આપણે બધા જાણીએ છીએ કે ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક કહેવત એવી પણ છે કે રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટર દૂર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ એક કેળું ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદા અને ગેરફાયદા થઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે તમે શારિરને હેલ્થી રાખવા માટે આપણે ઘણા પ્રકારના ફ્રૂટ્સનું સેવન કરતાં હોય છે. તમને જણાવી દઈએ કે કેળા એક એવું ફળ છે જે સૌથી વધુ ખાવામાં આવે છે. તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે.

BANANA-2

જીમમાં જતા મોટાભાગના લોકો આ ફળનું સેવન કરે છે. કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, વિટામિન્સ, વિટામિન B6, વિટામિન C, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ જેવા ગુણધર્મો હોય છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેળું દરેક માટે ફાયદાકારક નથી. હા, તમે સાચું સાંભળ્યું છે. FMRI ગુડગાંવના ક્લિનિકલ ન્યુટ્રિશનના વડા આ વિશે વધુ માહિતી આપી હતી. ડૉ. વધુમાં કહે છે કે તમે ગમે ત્યારે કોઈપણ ફળનું સેવન કરી શકો છો, પરંતુ ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો કેળા ઓછા પ્રમાણમાં ખાઓ.

vtv app promotion

આપણે બધા જાણીએ છીએ કે ફળો સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે, પરંતુ કેળા એક એવું ફળ છે જે સસ્તું હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે દરેક સિઝનમાં ઉપલબ્ધ છે અને ભારતના દરેક ભાગમાં જોવા મળે છે. કેળામાં વિટામિન A, C, વિટામિન B6, પોટેશિયમ, સોડિયમ, આયર્ન અને વિવિધ એન્ટીઑકિસડન્ટો અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ મળી આવે છે. આ જ કારણ છે કે કેળાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ કેળાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

વધુમાં વાંચો: નહીં આવે હાર્ટ એટેક, કેન્સરનું જોખમ અને વજન પણ ઘટાડશે, બસ આ વસ્તુ અચૂક ખાઓ

કેળું કોણે ન ખાવું જોઈએ?

ડૉ. ના મતે, જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો કેળાનું પ્રમાણ ઓછું કરવું જરૂરી છે, પરંતુ તેને સંપૂર્ણપણે ટાળવું યોગ્ય નથી, કારણ કે તે પોટેશિયમનો સારો સ્ત્રોત છે, તેથી તમારા ફ્રૂટ ચાટમાં કેળા ઉમેરો, પરંતુ ઓછી માત્રામાં. આ સાથે, ડૉક્ટરે કહ્યું કે કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, તેથી કિડનીના દર્દીઓને તે ખાવાની સલાહ આપવામાં આવતી નથી. તેથી, જો તમે કિડનીની સમસ્યાથી પીડાતા હોવ, તો ભૂલથી પણ આ ફળનું સેવન ન કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Advantages- Disadvantages expert opinion side effects of Banana

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ